બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Supreme Court's refusal of immediate hearing in Joshimath case
Priyakant
Last Updated: 12:40 PM, 10 January 2023
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જરૂરી નથી કે દેશનો દરેક મહત્વનો મામલો અમારી સામે આવે. મહત્વનું છે કે, અરજદારે જોશીમઠમાં સંકટને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી હતી.
16 જાન્યુઆરીએ સુનાવણી
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, દેશમાં અમને મહત્વપૂર્ણ બાબતોને અમારી સમક્ષ લાવવાની જરૂર નથી, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો છે, જે વધુ સારી રીતે કાળજી લઈ શકે છે. કોર્ટે કહ્યું કે, અમે આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી કરીશું.
અરજદારે શું કહ્યું ?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી હાજર રહેલા એડવોકેટ પરમેશ્વર નાથ મિશ્રાએ જોશીમઠ કેસનો તાકીદની સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો છે જે વસ્તુઓનું ધ્યાન રાખી શકે છે.
Supreme Court declines urgent hearing of Joshimath sinking incidents on #Joshimath and posts the matter for hearing on January 16.
— ANI (@ANI) January 10, 2023
Supreme Court says everything which is important need not come to the apex court. There are democratically elected institutions working on it. pic.twitter.com/a2E1F2OK3d
નોંધનીય છે કે, સરસ્વતીએ તેમની અરજીમાં દલીલ કરી છે કે, મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ ઘટના બની છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની માંગ કરી છે. અરજીમાં આ પડકારજનક સમયમાં જોશીમઠના લોકોને મદદ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.
આજથી ડિમોલિશનની કામગીરી શરૂ
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તરફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે ઈમારતોમાં તિરાડો પડી છે અને વધુ નુકસાન થયું છે તેને જમીન પર તોડી પાડવામાં આવશે, જેથી નજીકની ઈમારતોને નુકસાન ન થાય. એવું કહેવામાં આવ્યું છે કે, ડિમોલિશન નું કામ આજથી એટલે કે મંગળવાર (10 જાન્યુઆરી)થી શરૂ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news