રાજકીય સંકટ વચ્ચે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સંસદ ભંગ પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ આજે રાત્રે 8 વાગ્યે આ મામલે મહત્વનો ચુકાદો સંભળાવશે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સંસદ ભંગ પર સુનાવણી પૂર્ણ
ડેપ્યુટી સ્પીકરના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના નિર્ણય પર ચુકાદો આપશે
પાકિસ્તાનના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિના પત્રનો જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, પંચ ઓક્ટોબર 2022 માં ચૂંટણી કરાવવા માટે તૈયાર છે. બંધારણ અને કાયદા અનુસાર સીમાંકન માટે હજુ 4 મહિનાનો સમય લાગશે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે સામાન્ય ચૂંટણી પર મહત્વપૂર્ણ પરામર્શ માટે રાષ્ટ્રપતિ સાથે બેઠક બોલાવવાનું કહ્યું.
આ સુનાવણી ડેપ્યુટી સ્પીકરના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર થઈ રહી હતી. જેમાં ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાનની સંસદને પણ ભંગ કરી દેવામાં આવી હતી અને 90 દિવસમાં ચૂંટણી કરાવવાની માંગ કરવામાં આવી હતી.
Supreme Court will give its verdict on the deputy speaker’s ruling to disallow the no-confidence motion at 7:30pm today: Pakistan media
પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે તત્કાલિન પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ડેપ્યુટી સ્પીકર નેશનલ એસેમ્બલીનો નિર્ણય ખોટો હતો. મામલાની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટ પરિસરની સુરક્ષા માટે કમાન્ડો તૈનાત કરવામાં આવ્યાં છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડેપ્યુટી સ્પીકરે જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી
સુનાવણી દરમિયાન પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે સ્પષ્ટ કર્યું છે કે, એક વાત તો સ્પષ્ટ છે કે રોલિંગ ખોટું છે. ડેપ્યુટી સ્પીકરે પોતાની જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી. તેની પર એટર્ની જનરલે કહ્યું કે, હું કોઈનો બચાવ નથી કરી રહ્યો પરંતુ હું રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને માહિતી આપવા તૈયાર છું.
શું ઈમરાન ખાન પાસે કોઈ પ્લાન હતો?
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, ઈમરાન ખાન પાસે શું કોઈ યોજના હતી? તેઓએ પૂછ્યું હતું કે, છેવટે 28 માર્ચે ડેપ્યુટી સ્પીકરે નિર્ણય ના આપ્યો. જેના જવાબમાં સિદ્દીકીએ કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું હતું કે, અમે અમારી સરકાર જાતે જ વિખેરી નાખી છે. તેમણે કહ્યું હતું કે, જો વડાપ્રધાનનો ઈરાદો સાચો ન હોત તો તેઓ પોતાની સરકાર કેમ ભંગ કરી નાખત. તેઓએ કહ્યું હતું કે, ઈમરાનના મતે ચૂંટણી કરાવવામાં અબજો ખર્ચ કરવામાં આવ્યા હતાં.
સુનાવણી દરમિયાન શું-શું કહેવામાં આવ્યું?
ઈમરાનના વકીલ ઈમ્તિયાઝ સિદ્દીકે કહ્યું કે, ડેપ્યુટી સ્પીકરે જે વિચાર્યું હતું તે મુજબ નિર્ણય લીધો. ડેપ્યુટી સ્પીકર તેમના નિર્ણય માટે કોર્ટ પ્રત્યે જવાબદાર ન હતા. તેમણે ફરીથી વાત કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ કલમ 69 હેઠળ સંસદીય કાર્યવાહીમાં દખલગીરી કરી શકે નહીં. જસ્ટિસ અખ્તરે કહ્યું હતું કે, ચુકાદાઓ કોર્ટ દ્વારા કરવામાં આવેલા સંબંધિત અવલોકનોનો સંદર્ભ આપે છે. તેઓએ કહ્યું હતું કે, કોર્ટ ચુકાદામાં કરવામાં આવેલા અવલોકનોથી બંધાયેલ નથી. સિદ્દીકીએ કહ્યું હતું કે, ડેપ્યુટી સ્પીકરે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી) ના મૂલ્યાંકન પર આધાર રાખ્યો હતો. તેના પર ચીફ જસ્ટિસે પૂછ્યું હતું કે, NSC મીટિંગની મિનિટ્સ ડેપ્યુટી સ્પીકર સમક્ષ ક્યારે રજૂ કરવામાં આવી. સિદ્દીકીએ કહ્યું હતું કે, તેઓ ડેપ્યુટી સ્પીકર સંબંધિત બાબતોથી અજાણ હતા.