સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પુછ્યું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કર્મચારીઓને પ્રમોશનમાં રિઝર્વશન આપવાનો નિર્ણય યોગ્ય ઠરાવવા માટે તેમણે કેવી રીતે પગલ ભર્યા છે.
સરકારે પ્રમોશનમાં રિઝર્વશન આપવાનો નિર્ણય આ આધારે યોગ્ય ઠરાવવો જોઈએ
અનુચ્છેદ 16માં સાર્વજનિક રોજગારના મામલામાં સમાનતાની જરુર છે
સુપ્રીમ કોર્ટની એક બેચે કહ્યું કે જો કોઈ નોકરીમાં વિશેષ સંવર્ગમાં એસસી અને એસટીને પ્રમોશનમાં રિઝર્વેશનને ન્યાયિક પડકાર આપવામાં આવે છે તો સરકાર આને આ આધારે યોગ્ય ઠરાવવો જોઈએ કે કોઈ વિશેષ સ્થનમાં તેમનું અપર્યાપ્ત પ્રતિનિધિત્વ છે અને કોટા પુરો પાડવાની સંપૂર્ણ પ્રશાસનિક દક્ષતા પર પ્રતિકુળ અસર નહીં પડે.
સિદ્ધાંતો પર ચર્ચા ન કરે, અમને આંકડા બતાવો- કોર્ટ
પીઠે કહ્યું કૃપા સિદ્ધાંતો પર ચર્ચા ન કરે, અમને આંકડા બતાવો. તમે પ્રમોશનમાં આરક્ષણને કેવી રીતે યોગ્ય ઠરાવી રહ્યા છો અને નિર્ણયને યોગ્ય ગણાવવા પ્રયાસ કર્યા છે. કૃપા કરીને નિર્દેશ લો અને આ અંગે અમને જણાવો. સુનવણીની શરુઆતમાં કેન્દ્ર તરફથી હાજર અટોની જનરલ કે કે વેણુગોપાલે 1992ને ઈન્દ્રા સાહની મામલા, જેમાં મંડળ આયોગ મામલાના રુપમાં ઓળખવામાં આવે છે ત્યાંથી લઈને 2018ના જનરલ સિંહ મામલામાં સુપ્રિમ કોર્ટના નિર્ણ.નો ઉલ્લેખ કર્યો. મંડળ નિર્ણયમાં પ્રમોશનમાં આરક્ષણથી ઈન્કાર કરવામાં આવ્યો હતો.
ઈન્દિરા સાહનીના નિર્ણયમાં સંબંધ પાછળના વર્ગોથી હતો
વિધિ અધિકારીએ કહ્યું પ્રાસંગિક વાત એ છે કે ઈન્દિરા સાહનીના નિર્ણયમાં સંબંધ પાછળના વર્ગોથી હતો. ન એસસી અને એસટીથી. તેમણે કહ્યં આ નિર્ણય એ પ્રશ્ન સંબંધિત છે કે શું પ્રત્યેક વર્ગને તેમની જનસંખ્યાના અનુપાતમાં આરક્ષણ આપવું જોઈએ. આ ચૂકાદો કહે છે કે ન એવું ન કરી શકાય કેમ કે આ 50 ટકાથી વધારે થઈ જશે.
અનુચ્છેદ 16માં સાર્વજનિક રોજગારના મામલામાં સમાનતાની જરુર છે
તેમણે કહ્યું કે સંવિધાનના અનુચ્છેદ 16માં સાર્વજનિક રોજગારના મામલામાં સમાનતાની જરુર છે અને જો ફક્ત યોગ્યતા જ માપદંડ છે તો સામાજિક રુપથી વંચિત, એસસી અને એસટી પ્રતિસ્પર્ધા કરવા માટે સક્ષમ ન હોઈ શકે.
2008માં સરકારી રોજગારમાં એસસી અને એસટીના આંકડા ક્રમશઃ 17.5 અને 6.8 ટકા
અર્ટોની જનરલે કહ્યું કે 1975 સુધી 3.5 ટકા અનુસૂચિત જાતિ અને 0.61 ટકા અનુસૂચિત જનજાતિ સરકારી રોજગારમાં હતા અને આ ઔસત આંકડા છે. તેમણે કહ્યું કે હવે 2008માં સરકારી રોજગારમાં એસસી અને એસટીના આંકડા ક્રમશઃ 17.5 અને 6.8 ટકા થઈ ગયો છે. જે હાલમાં ઓછો છે અને આ પ્રકારના કોટાને યોગ્ય ગણાવે છે. પીઠ બુધવારે સુનવણી જારી રાખશે.
પ્રમોશનમાં રિઝર્વેશન આપવાનો નિર્ણયને ફરી નહીં ખોલવામાં આવશે
આ પહેલા સુપ્રીમ કોર્ટે 14 સપ્ટેમ્બરમાં કહ્યું હતુ કે તે એસસી અને એસટીને પ્રમોશનમાં રિઝર્વેશન આપવાનો નિર્ણયને ફરી નહીં ખોલવામાં આવશે. કેમ કે આ રાજયોએ નક્કી કરવાનું રહેશે કે તે તેને કેવી રીતે લાગૂ કરે છે. પીઠનું કહેવું છે કે અમે એ સ્પષ્ટ કરી રહ્યા છીએ કે અમે નાગરાજ અથવ જરનૈલ સિંહને ફરીથી ખોલવા નથી જઈ રહ્યા. કેમ કે વિચાર ફક્ત આ મામલને કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદા અનુસાર નક્કિ કરવાનો હતો.