દિલ્હીમાં વધતા પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન પાકનો સુકો કચરો સળગાવવાને લઇને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સરકારની ફટકાર લગાવી. કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવામાં સરકારોમાં કોઇ ઇચ્છા શક્તિ દેખાઇ રહી નથી. ઘણા આદેશ છતા પાકનો સુકો કચરો સળગાવવાના મામલા સતત વધ્યા છે. એવામાં સરકારો પર દંડ કેમ ન લેવામાં આવે.
દિલ્હીમાં વધતા પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટે પંજાબ, હરિયાણા, UP અને દિલ્હી સરકારની ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવામાં સરકારોમાં કોઇ ઇચ્છા શક્તિ દેખાઇ રહી નથી
કોર્ટે એમ પણ કહ્યું કે કેમ લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે? એ તમામને એકવારમાં મારવા યોગ્ય છે. સુનાવણી દરમિયાન હરિયાણાના મુખ્ય સચિવે કહ્યું કે તે પ્રદુષણ ઓછુ કરવા માટે દિવસ-રાત લાગ્યા છે.
ત્યારે જસ્ટિસ મિશ્રાએ ફટકાર લગાવતા કહ્યું કે તમે સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરવામાં લાગ્યા છો. પાકનો સુકો કચરો સળગાવતા રોકવામાં નિષ્ફળ હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે સેટેલાઇટ ઇમેજના હવાલો આપ્યો, જેમા પાકનો સુકો કચરો સળગાવતા સ્પષ્ટ દેખાઇ શકાય છે.
અંતે સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મેહતાને કહ્યું, લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે કેમ મજબુર કરવામાં આવી રહ્યા છે. સારુ રહેશે કે તેમને એક વારમાં જ મારી દેવામાં આવે. આમ વિસ્ફોટ કરીને કરી શકાય છે. લોકો આટલું કેમ સહન કરી રહ્યા છે?