ભારતમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસનો વધતો કહેર
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યા આકરા સવાલ
ઑક્સીજન, હેલ્થ સ્ટાફ મુદ્દે સુનાવણી થઈ
બીજી લહેર શાંત નથી થઈ અને ત્રીજી આવશે તેવી આશંકા
ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે એવામાં હવે કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે તેવી આશંકા સરકારના વૈજ્ઞાનિક તરફથી કરવામાં આવી છે.
ત્રીજી લહેર પર ચિંતિત સુપ્રીમ કોર્ટ
દેશમાં સતત વધતાં કોરોના વાયરસના કેસની વચ્ચે ફરી વાર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને અત્યારથી તૈયારીઓ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. આ મામલા પર સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જૉ કાલે ઉઠીને પરિસ્થિતિ ખરાબ થાય તો તમે શું કરશો? રિપોર્ટ કહે છે કે ત્રીજી લહેર તો બાળકો પર પ્રભાવ પાડી શકે છે.
બાળકોમાં સંક્રમણ ફેલાશે તો શું કરશો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રીજી લહેર માટે શું કરવું જોઈએ તેની તૈયારી અત્યારથી કરી લેવી જોઈએ. યુવાનોમાં વેક્સિન આપવી પડશે. જૉ બાળકોમાં સંક્રમણ થશે તો શું કરશો? કારણ કે બાળકો તો પોતે હોસ્પિટલ ન આવી શકે.
ડૉક્ટરો વધારવા પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું એક આજે દોઢ લાખ ડૉક્ટરો છે જે પરીક્ષા આપવાની તૈયારુંમાં છે અને અઢી લાખ નર્સ તો ઘરોમાં બેથી છે, આ લોકો જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબોટ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે જે ડૉક્ટરો કામ કરી રહ્યા છે તેમના પર થાક અને દબાણ વધારે છે.