સની દેઓલે ભાજપ જોઇન કરવાનાં સમાચાર સામે આવતા ફિલ્મ મેકર અનિલ શર્માએ એક રસપ્રદ ટ્વિટ કર્યુ છે. અનિલ શર્માનાં નિર્દેશનમાં સની દેઓલ 'ગદ્દર એક પ્રેમકથા'માં કામ કરી ચૂકેલ છે.
મંગળવારનાં રોજ રાજનૈતિક દંગલમાં ઉતરનારા કલાકારોની યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે. આ નામ છે 'ઢાઇ કિલો કા હાથ' અને 62 ઇંચની છાતી રાખનાર બોલીવુડ અભિનેતા સની દેઓલ. સની દેઓલે ભારતીય જનતા પાર્ટી જોઇન કરવાનાં સમાચાર આવતાં જ ફિલ્મ મેકર અનિલ શર્માએ ટ્વિટર પર એક રસપ્રદ ટ્વિટ કર્યુ છે. અનિલ શર્માનાં નિર્દેશનમાં સની દેઓલ 'ગદ્દર એક પ્રેમકથા'માં તેઓ કામ કરી ચૂકેલ છે.
અનિલ શર્માએ સની દેઓલની સાથે પોતાની એક તસ્વીર રજૂ કરતા લખ્યું છે કે, '56 ઇંચની છાતી તો હતી અને હવે તો 62 ઇંચની છાતી પણ થઇ ગઇ. અભિનંદન મારા ફેવરિટ સની દેઓલને ભાજપમાં જોડાવા બદલ.' સની દેઓલ ગયા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ 'ભૈયાજી સુપરહિટ'માં કામ કરતા દેખાયાં હતાં. જો કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાણી નથી કરી.
કેવાં છે જનતાનાં રિએક્શન?
સની દેઓલે પોલિટિક્સ જોઇન કરવાંથી જ્યાં અનિલ શર્મા ખૂબ ઉત્સાહિત ને આનંદિત જોવાં મળી રહેલ છે ત્યારે કેટલાંક ફેન્સ આનાંથી ખાસ પ્રભાવિત નથી. અનિલનાં ટ્વિટ પર યૂઝર્સનું વધારે રિએક્શન નેગેટીવ જ નજરે આવ્યું. એક યૂઝરે લખ્યું કે આ સની દેઓલ દ્વારા લેવામાં આવેલ સૌથી બકવાસ નિર્ણય છે.
ઉલ્લેખનીય છે કે બોલિવુડ એક્ટર સની દેઓલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ ચૂક્યાં છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં સની દેઓલ પાર્ટીમાં જોડાયાં છે. પાર્ટી હેડક્વાર્ટરમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમને તેમણે પાર્ટીમાં શામેલ થયાની પર્ચી આપીને ફૂલનું બૂકે આપી તેમનું સ્વાગત કર્યુ. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ તેમણે ગુરદાસપુરની ટિકિટ આપી શકે છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીપૂષ ગોયલે કહ્યું હતું કે, ''ઘણાં વર્ષોથી પારિવારિક સંબંધ હવે રાજનીતિક સંબંધ બનવા જઇ રહ્યો છે. 2008માં ધર્મેન્દ્ર યાદવ પાર્ટીનાં સાંસદ હતાં, તેમનાં પુત્ર પણ જનતાની વચ્ચે રહીને પોતાની રાજનીતિક છાપ બનાવશે તેવો અમને વિશ્વાસ છે.''
સની દેઓલે ભાજપમાં જોડાયાં પછી કહ્યું કે, ''મારાં પપ્પા અટલજીની સાથે જોડાયાં હતાં, આજે હું નરેન્દ્ર મોદી સાથે જોડાવવા માટે આવ્યું છું. હું ઇચ્છુ છું કે, આગામી 5 વર્ષ પણ તે સત્તામાં આવે, હજુ આગળ વધવાનું છે. જે યૂથ છે તેમણે મોદી જેવાં લોકોની જરૂર છે. આ પરિવારથી જોડાયાં પછી હું જે કંઇ પણ કરી શકુ છું તે ચોક્કસથી કરીશું. હું કામ કરીને બતાવીશ.''
ગુરદાસપુરની સીટ કેમ છે ખાસ:
પજાંબમાં ભારતીય જનતા પાર્ટી અકાળી દળની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. અહીંયા 13 લોકસભા સીટમાંથી ભાજપને ગુરદાસપુર, અમૃતસર અને હોશિયારપુરથી ઉમેદવાર ઉભા રાખવાના છે. બાકી સીટ પર અકાળી દરના ઉમેદવાર ઉભા રહેશે,એવામાં આ 3 સીટ પર તમામ લોકોની નજર હતી. ભાજપે રવિવારે અમૃતસર પરથી હરદીપ પુરીના નામની જાહેરાત કરી હતી પરંતુ હોશિયારપુર અને ગુરદાસપુરની સીટ પર કોઇ ઉમેદવારને જાહેરાત કરી ન હતી.
2014માં ગુરદાસપુર સીટ જીત્યા હતા વિનોદ ખન્ના:
આ સીટ વિનોદ ખન્નાના નિધન પછી ખાલી છે. ગત વર્ષે 27 એપ્રિલના વિનોદ ખન્નાનું નિધન થયુ હતુ, તેમની પત્ની કવિતાના નામ પર પણ ચર્ચા હતા. વિનોદ ખન્ના 1997માં ભાજપમાં શામેલ થયા હતા. 1998માં ગુરુદાસપુરમાં પહેલી વખત ચૂંટણી લડી અને જીત્યા પણ. 1999 અને 2004માં પણ વિનોદ ખન્નાએ જીત મેળવી. 2009માં ભલે સીટ ગુમાવવી પડી પરંતુ 2014માં મોદી લહરમાં ફરી એક વખત તેઓ ગુરદાસપુરના સાસંદ બન્યાં.
2011ની જનસંખ્યા અનુસાર, ગુરદાસપુર જિલ્લા પજાંબના તમામ જિલ્લામાં ત્રીજા નંબર પર સૌથી વધારે જનસંખ્યાવાળો જિલ્લો છે. અહીંયા 31% શહેરી વસ્તી છે. અહીંયાની જનસંખ્યા 22 લાખથી વધારે છે અને સાક્ષરતાદર 79% થી વધારે છે. આ જિલ્લાની સ્થાપના 17મી સદીમાં ગુરિયાજી કરી હતી જેથી તેનુ નામ ગુરદાસપુર પડ્યું.