અત્યાર સુધી મેચનાં 4 દિવસ પૂર્ણ થઇ ગયા છે પરંતુ 2 દિવસ તો વરસાદના લીધે સમ્પૂર્ણપણે ધોવાઇ ગયા
વર્લ્ડ ચેમ્પીયનશીપની ફાઈનલનમાં વરસાદે પાડયો ભંગ
સુનીલ ગાવસ્કરના ઉપાયથી આવી શકશે મેચનું પરિણામ
મેચમાં અત્યાર સુધી ન્યૂઝીલેન્ડનો દબદબો
ICCના આયોજન પર ઉઠ્યા સવાલ
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સૌથી મહત્વની મેચનું પરિણામ ના આવે એવા ICCના આયોજન પર દુનિયાભરના નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે .વર્લ્ડ ચેમ્પીયનશીપની ફાઈનલનની મજામાં વરસાદે ભંગ પાળી દીધો છે. અત્યાર સુધી મેચનાં 4 દિવસ પૂર્ણ થઇ ગયા છે પરંતુ 2 દિવસ તો વરસાદના લીધે સમ્પૂર્ણપણે ધોવાઇ ગયા તેવામાં મેચનું પરિણામ ડ્રોમાં આવવાની શક્યતા વધી ગઈ છે.
વરસાદના લીધે નિર્ણયનાં આવે તે વાત કેવીરીતે યોગ્ય કેહવાય
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર ICCને આ સમસ્યાનો ઉપાય જણાવતા કહ્યું કે, સમગ્ર વિશ્વ ઈચ્છે છે કે દુનિયાને પ્રથમ ટેસ્ટ ચેમ્પિયન મળે તેવામાં વરસાદના લીધે નિર્ણયનાં આવે તે વાત યોગ્ય નથી. ICCએ વેન્યુ પસંદ કરતા પેહલા વરસાદની આગાહીનું ધ્યાન તો રાખવું જ જોઈએ. આવું પેહલી વાર થશે કે ફાઈનલ મેચ રમાયા પછી પણ સંયુક્ત વિજેતાની ઘોષણા કરવામાં આવે.
ગાવસ્કરે આપ્યો ICCને ઉપાય
ગાવસ્કરે ICCને નિવેદન આપ્યું કે, ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ 3-4 દિવસ સુધી ઈંગ્લેન્ડમાં જ રોકવાની છે તો 3 દિવસ બાદ ફરીથી એક ટેસ્ટ મેચનું આયોજન થઇ શકે છે. ફૂટબોલમાં પણ જયારે મેચ ડ્રો થઇ જાય તો પેનલ્ટી દ્વારા નિર્ણય લેવાય છે, ટેનિસમાં પાંચ સેટ હોય અને એક ટાઈ બ્રેકર હોય તો ICCની સમિતિ આ બાબત પર વિચાર કરે અને સમજે કે ફાઈનલમાં વિજેતા એક જ હોય .
મેચમાં ન્યૂઝીલેન્ડનો દબદબો
મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના લાંબા કદના બોલર કાઈલ જેમિસને 5 વિકેટ લઈને ભારતીય ટીમની કમર તોડી દીધી. માત્ર 217 રનની અંદર જ ભારતીય ટીમ ઓલ આઉટ થઇ ગઈ જેના જવાબમાં ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોન્વેએ શાનદાર 54 રન મારીને ટીમને મજબુત શરૂઆત અપાવી. મેચમાં હવે 2 દિવસ બાકી છે તેવામાં ભારતની જીત ધૂંધળી લાગી રહી છે તો એ જોવાનું જ રહ્યું કે બાકીના 2 દિવસ ન્યૂઝીલેન્ડ દબદબો રેહશે કે મેચ ડ્રો તરફ જશે