મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સુનીલ અરોરાની નિયુક્તી કરાઇ છે. 2 ડીસેમ્બરે સુનીલ અરોરા મુખ્ય ચૂંટણી અધીકારી તરીકે પદભાર સંભાળવાના છે.
સુનીલ અરોરા હાલના ચૂંટણી અધિકારી ઓ.પી.રાવતની જગ્યા લેશે. ઓ.પી.રાવત ડીસેમ્બર મહિનામાં નિવૃત થતાં હોઈ નવા અધીકારીની નીયુક્તી કરાઈ છે. સુનીલ અરોરા 1980ની બેચના IAS અધિકારી છે.
ચૂંટણી કમિશનર સુનીલ અરોરા દેશના હવે પછીના મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તેઓ હાલના મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતનું સ્થાન લેશે. ચૂંટણી આયોગના પ્રવક્તાએ સોમવારે આ અંગેની પુષ્ટી કરી હતી.
આયોગના પ્રવક્તા એ જણાવ્યું કે અરોરા આગામી બે ડિસેમ્બરના રોજ પદભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે હાલના મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતનો કાર્યકાળ પહેલી ડિસેમ્બરના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.
સુનીલ અરોરા ભારતીય પ્રશાસનિક સેવા (આઇએએસ)ના 1980 બેચના રાજસ્થાન કૈડરના સેવાનિવૃત અધિકારી છે. ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટ 2017ના રોજ સુનીલ અરોરાની નિયુક્તિ ચૂટંણી કમિશનર તરીકે કરવામાં આવી હતી.
એક મળતાં અહેવાલ કાયદા મંત્રાલય દ્વારા સોમવારે સુનિલ અરોરાની નિયુક્તિની સરકાર દ્વારા મળેલી મંજુરી બાદ ભલામણ માટા રાષ્ટ્રપતિ ભવનમાં મોકલવામાં આવ્યું છે.
સુનિલ અરોરા નાણા તેમજ કપડા મંત્રાલય તેમજ યોજના આયોગમાં અલગ-અલગ જગ્યાઓ પર પોતાની સેવા આપી ચૂક્યા છે. તેઓ 1993થી 1998 સુધી રાજસ્થાનના મુખ્યમંત્રીના સચિવ અને 2005 થી 2008 સુધી મુખ્યમંત્રીના પ્રધાન સચિવ પણ રહ્યાં છે.