સુનીલ શેટ્ટીના પરિવારે કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીને વેડિંગ પર મળેલા ગિફ્ટને લઇને પોતાનુ રિએક્શન આપ્યું છે.
કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન 23 જાન્યુઆરીએ થયા
વેડિંગ પર મળેલા ગિફ્ટને લઇને સુનીલ શેટ્ટીના પરિવારનુ રીએક્શન
આવા રિપોર્ટ બેસલેસ છે અને તેમાં કોઈ તથ્ય નથી
સમાચારને ગણાવ્યાં નિરાધાર
એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં સુનીલ શેટ્ટીના પરિવારે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીને મળેલા વેડિંગ ગિફ્ટને લઇને ચાલી રહેલા સમાચારને નિરાધાર જણાવ્યાં છે. તેમણે કહ્યું કે આવા રિપોર્ટ બેસલેસ છે અને તેમાં કોઈ પણ હકીકત નથી. અમે પ્રેસ ફ્રેટરનિટીને વિનંતી કરીએ છીએ કે સાર્વજનિક ડોમેનમાં આવી ખોટી માહિતી જાહેર કરતા પહેલા અમારી પાસે ડિટેઈલમાં કન્ફર્મ કરી લો.
રિપોર્ટ મુજબ, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ હનીમુન માટે અત્યારે નહીં જાય અથવા ફરી જશે તો તેમની પાસે એકબીજાની કંપનીને એન્જોય કરવા માટે ઘણો ઓછો સમય હશે.
એક મીડિયા સંસ્થાએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે કેએેલ રાહુલને આગામી થોડા દિવસમાં અપકમિંગ આઈપીએલ માટે તૈયારી શરૂ કરવી પડી શકે છે. એવામાં બની શકે છે કે દંપત્તિની પાસે હનીમુન માટે વધારે સમય ના હોય. એવુ પણ બની શકે છે કે દંપત્તિ થોડા સમય માટે હનીમૂન માટે રવાના થાય અથવા પછી ના પણ જઇ શકે. જ્યાં સુધી કેએલ રાહુલને ક્રિકેટમાંથી લાંબો બ્રેક ના મળે.