અમદાવાદના સાણંદમાં SDMનો આપઘાતનો મામલો; પરિવારે આપઘાત નહિ હત્યાનો કર્યો આક્ષેપ, PM બાદ મોતનું કારણ જાણવામાં આવશે:DYSP
અમદાવાદના સાણંદમાં SDMનો આપઘાતનો મામલો
પરિવારે આપઘાત નહિ હત્યાનો કર્યો આક્ષેપ
PM બાદ મોતનું કારણ જાણવામાં આવશે:DYSP
સાંણદના પ્રાંત અધિકારીએ આપધાત મામલો સામે આવ્યો હતો. સાણંદના પ્રાંત અધિકારીએ આપઘાત કર્યોની માહિતી પાપ્ત થઈ હતી. પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે સાણંદના નિર્મિત ફ્લોરાના ચોથા માળેથી પડતું મૂક્યા વિગતો સામે આવી હતી. તેમને જણાવી દઈએ કે, રાજેન્દ્ર પટેલને રિટર્નિંગ ઓફિસર તરીકે જવાબદારી સોંપાઈ હતી. અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી તેમણે ફરજ નીભાવી હતી. સમગ્ર ઘટના બાબતે એવી માહિતી પાપ્ત થઈ હતી કે, ડિપ્રેશનના કારણે રાજેન્દ્ર પટેલે ચોથા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યાની પરંતુ પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે આત્મહત્યા નહી પરંતુ તેમની હત્યા કરાઈ છે.
પરિવારે આપઘાત નહિ હત્યાનો કર્યો આક્ષેપ
રાજેન્દ્ર કેશવલાલ પટેલે પાંચમાં માળેથી આત્મહત્યા કર્યાની માહિતી પાપ્ત થઈ હતી જે મામલે પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. રાજેન્દ્ર પટેલની હત્યા કરવામાં આવી હોવાનો પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિના પહેલા જ બદલી કરીને તેઓ સાણંદ આવ્યાં હતા. મૃતકના ભાઈ હર્ષદ પટેલે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, પરિવાર સાથે વાત કરતા હતા ત્યારે ડિપ્રેશનમાં ન હતા તેમણે રાજેન્દ્ર પટેલ પ્રમાણિક અધિકારી હોવાનું જણાવ્યું છે.
DYSP ભાસ્કર વ્યાસનું નિવેદન
રાજેન્દ્ર પટેલ આપઘાત મામલે DYSP ભાસ્કર વ્યાસનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, 9.30 વાગે સાણંદ PIને રાજેન્દ્ર પટેલના આપઘાતની જાણ થઈ હતી તેમણે કહ્યું કે, SDM આપઘાતનો મેસેજ આવ્યો હતો. DYSP જણાવ્યું કે, હાલ અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે અને પેનલ PM ચાલુ છે અને વીડિયો ગ્રાફી કરાઇ છે તેમણે કહ્યું કે, PM બાદ મોતનું કારણ જાણવામાં આવશે