બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / such marks on palm make a person very lucky palmistry know more

હસ્તરેખાશાસ્ત્ર / હથેળી પર બનતા હોય આવા નિશાન તો માતા લક્ષ્મી રહે છે હંમેશા મહેરબાન, ક્યારેય નહીં થાય ધનની કમી

Arohi

Last Updated: 07:21 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હથેળી પરના કેટલાક નિશાન શુભ અને કેટલાક અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને એવા નિશાન વિશે જણાવીશું જે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે. આવા લોકો જલ્દી સફળ થઈ જાય છે અને તેમને ખૂબ પૈસા મળે છે.

  • હથેળી પર રહેલા છે કેટલાક શુભ અશુભ નિશાન 
  • આવા લોકોને જલ્દી મળે છે સફળતા 
  • માતા લક્ષ્મી હંમેશા રહે છે મહેરબાન 

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિની હથેળી પર અનેક પ્રકારના નિશાન અને રેખાઓ બને છે. જેમાં કેટલાક નિશાન ખૂબ જ શુભ અને કેટલાક નિશાન અશુભ માનવામાં આવે છે. વ્યક્તિની હથેળી પર બનેલી રેખાઓ અને આકૃતિઓનું વિશ્લેષણ કરીને વ્યક્તિના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે અનુમાન લગાવવામાં આવે છે. 

ભાગ્ય રેખાનું વિશેષ સ્થાન
હથેળી પર ભાગ્ય રેખાનું વિશેષ સ્થાન હોય છે. આ ભાગ્ય રેખા દર્શાવે છે કે વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે. સમયાંતરે તેને કેટલો નસીબનો સાથ મળશે અને કેટલો નહીં. શુભ રેખા હોય તો વ્યક્તિને તેના જીવનમાં માન-સન્માન, વૈભવ, સુખ-સુવિધા, સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. સારી ભાગ્ય રેખા અને નિશાનીવાળા વ્યક્તિ પર માતા લક્ષ્મી હંમેશા મહેરબાન રહે છે. આવો જાણીએ હથેળી પરની કઈ રેખાઓ વ્યક્તિના જીવનમાં સુખ અને ધન લાવી શકે છે.

હથેળી પર રથ અથવા ધ્વજનું ચિહ્ન
જો કોઈ વ્યક્તિની હથેળી પર રથ અથવા ધ્વજ જેવું નિશાન હોય તો તે ખૂબ જ શુભ ચિન્હ માનવામાં આવે છે. હથેળી પર બનેલા આવા નિશાનવાળી વ્યક્તિ ભાગ્યથી સમૃદ્ધ હોય છે. તેને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે છે. જીવનમાં ધનની કમી થતી નથી. આવા લોકોને દરેક કામમાં સફળતા મળે છે.

હથેળી પર માછલીનું નિશાન
હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની હથેળી પર માછલીના આકાર જેવું નિશાન હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા વ્યક્તિઓ પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. આવી વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી. જીવનમાં અઢળક ધન અને સુખની પ્રાપ્તિ થાય છે.

ચક્રનું નિશાન 
જો કોઈ વ્યક્તિની હથેળી પર ચક્ર જેવું નિશાન બનેલું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હથેળી પર આવા નિશાન વાળા વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. આવા લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ હોય છે. તેમને ભાગ્યનો પૂરો સાથ મળે છે અને ઘણી સફળતા મળે છે. આવી વ્યક્તિઓ બહુ ઓછા સમયમાં સારી ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે.

સારી ભાગ્ય રેખા
જેમની હથેળી પર ભાગ્ય રેખા સારી હોય છે. તેમને જીવનમાં આગળ વધતા કોઈ શક્તિ રોકી શકતુ નથી. ભાગ્ય રેખાને શનિ રેખા પણ કહેવામાં આવે છે. આ ભાગ્ય રેખા સીધી શનિ પર્વત પર મળે છે. જ્યાંથી કાંડાની શરૂઆત થાય છે. આ વગર કપાયે સીધુ શનિ પર્વત પર મળે છે. સારી ભાગ્યરેખા વ્યક્તિને સુવિધા સંપન્ન અને વૈભવ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ