નવા CBI ચીફ સુબોધ કુમાર જાયસ્વાલના હાથમાં આવ્યો મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખનો કેસ.
સુબોધ કુમાર જાયસ્વાલને સીબીઆઈના નવા ચીફ નીમાયા
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખનો કેસ તેમના હાથમાં
અગાઉ તેમની સાથે કામ કરતા થઈ હતી બબાલ
મંગળવારે સુબોધ કુમાર જાયસ્વાલને સીબીઆઈના નવા ચીફ નીમાયા
CBIના નવા ચીફ સુબોધકુમાર જાયસ્વાલ વર્ષ 1985 બેચના આઈપીએસ ઓફિસર છે. મહારાષ્ટ્ર કેડરના આ ઓફિસરને ઈન્ટેલિજન્સ બ્યૂરો અનને રીસર્ચ એન્ડ એનાલિસિસ વીંગમાં કામ કરવાનો વિશાળ અનુભવ છે. મંગળવારે સુબોધ કુમાર જાયસ્વાલને સીબીઆઈના નવા ચીફ નીમાયા છે. આ સાથે ખાસ વાત છે કે તેઓએ આ પહેલા ક્યારેય પણ દેશની સૌથી મોટી તપાસ એજન્સીમાં કામ કર્યું નથી.
IPS Subodh Kumar Jaiswal has been appointed as Director of Central Bureau of Investigation (CBI) for a period of 2 years pic.twitter.com/jFGwZbOen4
સુબોધ કુમાર જાયસ્વાલે અનેક મોટા કેસ પર કામ કર્યું છે
સુબોધ કુમાર જાયસ્વાલ હાલમાં સીઆઈએસએફ ચીફના પદ પર તૈનાત હતા. સુબોધકુમાર જાયસ્વાલને મહારાષ્ટ્રમાં કામ કરવાનો અનુભવ છે. તેઓએ અહીં એટીએસમાં કામ કર્યું છે તો મુંબઈ પોલીસમાં કમિશ્નર પણ રહ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રના ડીજીપી રહી ચૂક્યા છે. જ્યારે સુબોધકુમાર જાયસ્વાલ રાજ્યના પોલીસ પ્રમુખ હતા ત્યારે તત્કાલીન પોલીસ અધિકારીની બદલીને લઈને રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે તેમની બબાલ પણ થઈ હતી. આ પછી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા. મુંબઈ પોલીસના પૂર્વ ચીફ પરમબીર સિંહે આ આરોપ લગાવ્યા હતા. આ આરોપની તપાસ સીબીઆઈ કરી રહી છે પણ નોંધનીય છે કે સીબીઆઈ ચીફ રહેલા સુબોધ કુમારના હાથમાં તેમની કમાન હતી. સુબોધકુમાર જાયસ્વાલનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. સુબોધ કુમાર જાયસ્વાલે અનેક મોટા કેસ પર કામ કર્યું છે.
2006માં માલેગાવ બ્લાસ્ટ કેસની તપાસ કરી
મહારાષ્ટ્ર સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનના ચીફ રહેવાની સાથે તેઓએ ચર્ચિત તેલહી ફેક સ્ટાંપ પેપરની તપાસ પણ કરી હતી. એટીએસમાં રહેતા તેઓએ 2006માં માલેગાવ બ્લાસ્ટ કેસની તપાસ કરી. સુબોધકુમાર જાયસ્વાલ લગભગ 10 વર્ષથી રૉમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. મહારાષ્ટ્રના ડીજીપી બન્યા ત્યારે ભીમા કોરેગાંવ હિંસા કેસની તપાસ કરી હતી પછી આ કેસ સીબીઆઈને સોંપી દેવાયો હતો.
મહાવિકાસ અઘાડીની સરકાર બની ત્યારે તેમાં કહેવાયું કે પોલીસ વિભાગના સંચાલનને લઈને જાયસ્વાલ અને નવી સરકારની વચ્ચે તકરાર થઈ હતી. ખાસ કરીને શિવસેનાની સાથે. સુબોધ કુમાર જાયસ્વાલ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની સાથે જોડાયેલી કથિત લોબીની વિરોધમાં બોલી રહ્યા છે. જે અધિકારીઓ ટ્રાન્ફર પોસ્ટિંગમાં સામેલ હતા તેમની વિરોધમાં છે. એટલું નહીં કેટલાક ટ્રાન્સફર પર સહી કરવાનો ઈ્કાર પણ કર્યો હતો. જો કે પછી તેઓએ સાઈન કર્યા હતા. આ બબાલ બાદ તેઓને સીઆઈએસએફના ચીફ બનાવાયા અને તે દિલ્હી આવી ગયા હતા. તે સમયે દેવેન્દ્ર ફડણવીસે પણ તેમની પર આરોપ લગાવ્યો હતો.