લખનૌના કૃષ્ણાનગર એલડીએ કોલોનીમાં શનિવારે રાતે કોરોના સંક્રમિત અરવિંદ ગોયલ (60) અને તેમના દિકરા આશિષ ગોયલ (25)ની લાશ મળી. તો કૃષ્ણનગરના ડી વનમાં પણ રુમમાંથી વિવેક શર્મા નામના યુવકનો મૃતદેહ મળ્યો.
પિતા- પુત્રનું આઈસોલેશનમાં મોત, તરફડી રહી હતી મા
4 દિવસથી પરિવાર દેખાયો નહોંતો
રુમમાં મળી સંક્રમિત યુવકની લાશ
પિતા- પુત્રનું આઈસોલેશનમાં મોત, તરફડી રહી હતી મા
ઈન્સપેક્ટર મહેશ દુબેના જણાવ્યાનુસાર એલડીએ કોલોની મકાન નંબર 215માં અરવિંદ ગોયલનો પરિવાર રહેતો હતો. સાંજના સમયે સ્થાનીક લોકોને તેમના મકાનમાંથી દુર્ગંધ આવ્યાની માહિતી આપવામાં આવી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને દરવાજો તોડીને મકાનમાં દાખલ થઈ હતી. જ્યાં અરવિંદ અને આશિષના મૃતદેહો અલગ અલગ રુમમાં મળ્યા હતા. અરવિંદની દિવ્યાંગ પત્ની રંજનાની સ્થિતિ ગંભીર હતી. ઈન્સપેક્ટરના જણાવ્યાનુંસાર રંજના ચાલી નહોંતી શકતી. તેવી સ્થિતીમાં ઘરમાં હાજર હતી. તેમની સામે પતિનો મૃતદેહ પડ્યો હતો. રંજના પણ કોરોનાગ્રસ્ત હતી. પતિ અને દિકરાની મોત પર રંજનાએ અનેક વાર મદદની બૂમ પાડી. પણ તેમનો અવાજ ઘરની અંદર જ દબાઈ રહ્યો. તેમના આંસુ સુકાઈ ચૂક્યા હતા. પોલીસે તેમને તમામ મદદનો ભરોસો આપી હોસ્પિટલ ખસેડ્યા હતી.
4 દિવસથી પરિવાર દેખાયો નહોંતો
પડોશીએ પોલીસને જણાવ્યુ કે કોરોના સંક્રમણ થયા બાદ પરિવાર હોમ આઈસોલેશનમાં હોતો. મોટાભાગે આશિષ અને અરવિંદ ઘરની બહાર આવતા હતા. 4 દિવસથી તે બન્ને કોઈને નજરે નહોતા પડ્યા. પડોશીઓના જણાવ્યાનુસાર અરવિંદની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેવામાં અરવિંદની માતા તેને દર મહિને કેટલાક પૈસા આપી જતી હતી. ગત કેટલાક સમયથી તે પણ નથી આવ્યા.
રુમમાં મળી સંક્રમિત યુવકની લાશ
કૃષ્ણનગરના ડી વનમાં વિવેક શર્મા(35) રહેતો હતો. કોરોના સંક્રમિત થયા બાદ તે ઘરની બહાર નહોંતો નીળ્યો. શનિવારે સાંજે પડોસીઓ પાસેથી સૂચના મળતા પોલીસ ત્યા પહોંચી અને વિવેકની લાશ જપ્ત કરી . ઈન્સપેર્ટર મહેશ દુબેના જણાવ્યાનુસાર વિવેકના એક સંબંધી કુશિનગરમાં ન્યાયિક અધિકારી છે. જેને સૂચના આપવામાં આવી છે. વિવેકની બહેન બનારસમાં અને ભાઈ કોલકત્તામાં રહે છે. તેમને ફોન કરવમાં આવ્યો હતો. કોઈ ન પહોંચ્યુ. તેવામાં નગર નિગમની ટીમે વિવેકનો અંતિમ સંસ્કાર કર્યો હતો.