ભારત તરફથી રસી આપવાને લઈને આભાર વ્યક્ત કરવામાં કેનેડામાં પીએમ મોદીના ફોટા વાળા બિલબોર્ડ્સ (એક પ્રકારના ઈલેક્ટ્રોનિક હોડિંગ્સ)ને હટાવી દેવામાં આવ્યા છે.
બિલબોર્ડસની અનેક ફરિયાદો મળતા તેને એક જ દિવસમાં હટાવી દેવામાં આવ્યા
બિલબોર્ડસ ગ્રેટર ટોરેન્ટોમાં લગાવવામાં આવ્યા હતા
અભિયાનને રોકવા માટે વિજ્ઞાપન કંપનીઓ પર દબાણ
બિલબોર્ડસની અનેક ફરિયાદો મળતા તેને એક જ દિવસમાં હટાવી દેવામાં આવ્યા
હકિકતમાં પીએમ જસ્ટિન ટ્રુડોના કહેવા પર ભારત દ્વારા કોવિડ રસીના ડોઝ પુરા પાડવામાં આવ્યા હતા. જેને લઈને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે ઈન્ડો કેનેડાઈ ગ્રુપે ગ્રેટર ટોરેન્ટો વિસ્તારમાં 9 બિલબોર્ડસ લગાવ્યા હતા. પણ આમાં પીએમ મોદીનો ફોટો હોવાના કારણે બિલબોર્ડસની અનેક ફરિયાદો મળતા તેને એક જ દિવસમાં હટાવી દેવામાં આવ્યા છે.
બિલબોર્ડસ ગ્રેટર ટોરેન્ટોમાં લગાવવામાં આવ્યા હતા
ગ્રેટર ટોરંટોમાં આ બિલબોર્ડસ પર કેનેડાને રસી આપવા પીએમ મોદીની તસવીરની સાથે લખ્યુ હતું કે - કેનેડાને કોવિડ વેક્સીન આપવા માટે આભાર ભાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આના પર ભારત અને કેનેડાની મિત્રતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બિલબોર્ડસ ગ્રેટર ટોરેન્ટોમાં લગાવવામાં આવ્યા હતા. ઈન્ડો- કેનેડાઈ ગ્રુપને આ બિલબોર્ડસને 5 અઠવાડિયા સુધી લગાવી રાખવા માટે આઉટફ્રન્ટ મીડિયા સાથે કરાર કર્યો હતો.
અભિયાનને રોકવા માટે વિજ્ઞાપન કંપનીઓ પર દબાણ
જો કે ગુરુવારે મોદીનો આભાર વ્યક્ત કરવાના આ અભિયાનને ચલાવનારા ઈન્ડો કેનેડાઈ ગ્રુપ હિન્દુ ફોરમ કેનેડા અથવા એચએફસીને આઉટફ્રન્ટ મીડિયાના એક્ઝિક્યૂટિવે એક મેલ મોકલ્યો. જેમાં કહ્યું કે પીએમ મોદીના ફાટા વાળા બિલબોર્ડસ પર ફરિયાદ આવી રહી છે જેના કારણે તેને હટાવવામાં આવી રહ્યું છે. એચએફસીએ જણાવ્યું કે ફરિયાદ પીએમ મોદીની તસવીર વિશે છે અને અભિયાનને રોકવા માટે વિજ્ઞાપન કંપનીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
... તો અમારુ અભિયાન કેવી રીતે ખોટું હોઈ શકે
આ કાર્યવાહીથી હેરાન એચએફસી સભ્યએ પોતાના કાયદાકીય સલાહ કારોની સાથે આઉટફ્રન્ટ મીડિયાના સીઈઓ માઈકેલ અર્સ્કિનની સાથે આ મુદ્દા પર ચર્ચા કરવાની યોજના બનાવી રહ્યા છે અને આમાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ ભારત નિર્મિત કોવિશિલ્ડ રસી પુરી પાડવા પર પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તો અમારુ અભિયાન કેવી રીતે ખોટું હોઈ શકે. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી કેનેડાની રસીના 20 લાખ ડોઝ અપાઈ રહ્યા છે. એચએફસીના અધ્યક્ષ રાવ યેન્દામુરીએ કહ્યું કે તે આ ઘટનાથી નિરાશ છે. જો કે તેમને હજું પણ આશા છે કે આઉટફ્રન્ટ મીડિયા તે સંદેશ સાથે ફરી શરુ કરશે.
અભિયાનમાં #AskIndiaWhy હેશટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
મનાઈ રહ્યુ છે કે આ બિલબોર્ડસને હટાવવાનું કારણ તેની વિરુદ્ધ શરુ કરવામાં આવેલું અભિયાન હોય. આ અભિયાનમાં આઉટફ્રન્ટ મીડિયાનો નંબર આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ નંબર પર ફોન કરો તેમને એકજૂથ કરીશું . આ અભિયાનમાં #AskIndiaWhy હેશટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે દિલ્હીમાં લાલ કિલ્લાહિંસા દરમિયાન શરુ કરવામાં આવ્યું હતુ.