હનુમાન જન્મોત્સવ દરમિયાન દિલ્હીમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે જ્યારે કર્ણાટકમાં પણ પરિસ્થિતિ ખરાબ થઈ છે.
દેશમાં ફરીથી પથ્થરમારાની ઘટનાઓ
દિલ્હીમાં પરિસ્થિતિ તનાવપૂર્ણ
કર્ણાટકના ઓલ્ડ હુબ્લીમાં પણ ધારા 144 લાગુ
ફરી અશાંત થયો દેશ
દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે જે બાદ કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. રામનવમી પર થયેલ પથ્થરમારા બાદ પણ ઘણા રાજ્યોમાં હનુમાન જયંતીના દિવસે પથ્થરમારા થયા, પ્રજાની અંદર પોલીસની કાર્યવાહી પર પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે હાલ જ આટલી ગંભીર ઘટનાઓ થઈ છતાં અસામાજિક તત્વોની તાકાત એટલી કઈ રીતે વધી ગઈ કે ફરીથી એ જ ઘટનાને અંજામ આપે.
Karnataka | A stone-pelting incident took place at Old Hubli Police Station, Hubli
Four policemen including one inspector injured. Section 144 imposed in the entire city. Investigation is underway & a case has been registered: Police Commissioner Labhu Ram pic.twitter.com/WbaGSUKdob
કર્ણાટકમાં પણ પરિસ્થિતિ બગડી
દિલ્હીના જહાંગીરપૂરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ તપાસ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં હાલમાં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે ત્યારે કર્ણાટકના હુબ્લીમાં પણ પથ્થરમારો થયો છે.
કેસ દાખલ કરી તપાસ શરૂ
કર્ણાટકના હુબ્લીમાં પોલીસ સ્ટેશન પર જ પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે જેમાં એક પોલીસ ઈન્સ્પેકટર સહિત ચાર જવાન ઘાયલ થયા છે ત્યારે આખા શહેરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.