વિશ્વભરમાં ભલે આજે ભારતનો ડંકો વાગતો હોય,ભલે વિકાસની ચર્ચા થતી હોય પરંતુ હજુ પણ દેશના કેટલાક એવા ગામડાઓ છે જ્યાં જાતિવાદ અને ભેદભાવ ચરમસીમા છે...ગુજરાતની જ વાત કરીએ તો દેશમાં ગુજરાતનું મોડલ વિકાસનું મોડલ કહેવાય છે પરંતુ અહી જ છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારની દલિત સમાજ સાથે થઈ રહેલા અન્યાયની ઘટનાઓ સામે આવી છે..તેને જોતા આપણને પોતાની જાત પર શરમ આવે છે કે શું આ એ ગુજરાત છે જેની દેશમાં ચર્ચા થઈ રહી છે..શું આ એ જ ભારત છે જે વિશ્વ ફલક પર પોતાની આગવી મહત્વતા ધરાવે છે? પહેલા મહેસાણા પછી સાબરકાંઠા અને હવે અરવલ્લી..આ તમામ સ્થળોએ દલિત પરિવારો સાથે જે ઘટના ઘટી તે આપણા સભ્ય સમાજને તો ન જ શોભે તેવી છે...લગ્ન જેવા શુભપ્રસંગમાં જ્યારે કોઈ વરઘોડો કાઢવા જેવી બાબતે વાંધો ઉઠાવે તો શું તે આપણે ચલાવી શકીએ ખરા? વરઘોડો ન નીકળે તે માટે કોઈ તમને ધમકી આપે તો તમને કેવું લાગશે? એટલું જ નહીં પણ વરઘોડો નીકળ્યા બાદ ગ્રામજનો તમને ગામબહાર મૂકી દે તો? શું આવા ભારતની આપણા કરિશ્માઈ નેતાઓ કલ્પના કરી હતી? શું આ રીતે દેશ આગળ વધશે? સમાજના આવા દુષણો સામે આખરે લડશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન