સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરના ખોદકામ દરમિયાન ફરી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે.
અયોધ્યામાં બની રહ્યું છે ભવ્ય રામ મંદિર
મંદિરના નિર્માણ માટે ચાલી રહ્યું છે ખોદકામ
ખોદકામ દરમિયાન મળી આવી ચરણ પાદુકા
રામ મંદિરના મંદિરના નિર્માણ માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું છે. રામ લલાના મંદિર નિર્માણ માટે 40 ફૂટ ઉંડાઇ સુધી પાયાના ખોદકામ દરમિયાન એક ચરણ પાદુકા સહિત પ્રાચિન પાષાણ ખંડ અને કેટલાક ખંડિત મૂર્તિઓના અવશેષ મળ્યા છે. પ્રાચીન મંદિરોના આ અવશેષોને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના સુરક્ષિત રાખવામાં આવ્યા છે. પુરાતાત્વિક મહત્વના આ અવશેષોની પુરાતાત્વિક રીતે વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવશે.
આ પહેલા જાણો શું શું મળ્યું?
આ પહેલા પણ જન્મભૂમિ પરિસરના સમતલીકરણ કાર્ય દરમિયાન પણ કેટલાક પ્રાચીન અવશેષો મળી ચૂક્યા છે. તો પ્રાચીન નક્કાશીદાર શિલાઓ નિકળી ચૂકી છે. કેટલીક ખંડિત મૂર્તિઓ પણ મળી છે. પ્રાચીન મંદિરથી સંબંધિત પથ્થરોના અવશેષો મળી આવ્યા છે.
સીતા રસૌઈથી ખોદકામ દરમિયાન રસૌઈથી સંબંધિત પથ્થરનો વિશાળ સિલબટ્ટા પણ મળી આવ્યો છે. ચૌકલા બેલન પણ મળી આવ્યું છે. આ સિવાય માનસ ભવન તરફથી ખોદકામ દરમિયાન અતિ પ્રાચીન ભગવાન શ્રી રામની ચરણ પાદુકાઓ પણ મળી છે. ન્યાસના સૂત્રોએ જણાવ્યું કે આ તમામ અવશેષોને રામ જન્મભૂમિ પરિસરના સંગ્રહાલયમાં જ સંરક્ષિત કરી દેવાયા છે.
आज प्रातःकाल शुभ मुहूर्त में श्रीराम जन्मभूमि स्थल पर, वैदिक पूजन के साथ ही श्री राम मंदिर निर्माण हेतु नींव भराई का कार्य प्रारंभ हो गया है।
इस अवसर पर श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र के पदाधिकारी तथा वरिष्ठ प्रशासनिक अधिकारी उपस्थित रहे। pic.twitter.com/6YpR3dkXm3
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 15, 2021
અવશેષોને સંગ્રહાલમાં શ્રદ્ધાળુઓના દર્શન માટે રખાશે
રામ મંદિરના નિર્માણ બાદ મંદિર પરિસરમાં જ મ્યૂઝિયમ બનાવીને આ પ્રાચીન ધરોહરને શ્રદ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે. શ્રદ્ધાળુ રામ લલાના દર્શન બાદ આ પ્રાચીન ધાર્મિક અવશેષોના દર્શન કરી શકશે. વસ્તુઓ તૂટેલી હાલતમાં છે. જોકે ખોદકામ પૂર્ણ થઇ ચૂક્યું છે.
जय श्री राम!
श्री रामजन्मभूमि मंदिर निर्माण हेतु तराशे गए पत्थरों को कार्यशाला से मंदिर परिसर में स्थानांतरित करने का कार्य प्रारंभ हो गया है। इन्ही पत्थरों से भव्य और दिव्य श्री रामजन्मभूमि मन्दिर का निर्माण किया जाएगा। pic.twitter.com/nAQN62aLHd
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 9, 2020