કોંગ્રેસ નેતા દિગ્લિજયસિંહે મોદી સરકાર પર તાલિબાન સાથે ચર્ચાને લઈને આકરા પ્રહાર કર્યા છે. જેના કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ નેતાના નિવેદનને કારણે રાજકારણમાં ખળભળાટ
દિગ્વિજયસિંહેવ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
ટ્વીટર પર ટ્વીટ કરી મોદી સરકારને કરી ટાર્ગેટ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ ભારતના દૂતાવાસમાં ભારતીય રાજદૂત સાથે વાતચીત કરી હતી. જોકે આ વાતચીતની પહેલા તાલિબાન દ્વારાજ કરવામાં આવી હતી. પરંતુ આ મુદ્દે હવે દિગ્વિજયસિંહે કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી છે.
ટ્વીટ કરીને કર્યા પ્રહાર
ટ્વીટ કરીને તેમણે એવું કહ્યું કે તાલિબાન મુદ્દે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતશાહ અમેરિકાના દબાવમાં પહેલાથી ચર્ચા કરી રહ્યા હતા. 3 દિવસ જુનું ટ્વીટ શેર કરીને તેમણે લખ્યું કે મોદી સરકારે તાલિબાન સાથે ચર્ચા કરી તે વાતને સ્વાકારી લીધી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે જે તેઓ શરૂઆતથી કહી રહ્યા હતા તે સાચુ પડ્યું.
મોદી સરકાર પર આકરા પ્રહાર
કોંગ્રેસ નેતા દિગ્વીજયસિંહે એવું કહ્યું કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતશાહ અમેરિકાના દબાવને લઈને તાલિબાન સાથે પહેલાથી ચર્ચા કરી રહ્યા હતા. જેથી આ મામલે તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા લોકો સામે એવો સવાલ કર્યો કે મોદી ભક્તો તમે જણાવશો કે કોણ તાલીબાની સમર્થક છે ?
અમેરિકાના દબાણમાં મોદી સરકાર હોવાનો ઉલ્લેખ
29 ઓગસ્ટના રોજ દિગ્વિજયસિંહે એવું કહ્યું હતું કે ભારત તાલિબાનને આંતકવાદની યાદીમાંથી બહાર કાઢવા માગે છે. સાથેજ તેમણે એવું પણ કહ્યુ મોદી સરકાર અમેરિકાના દબાણમાં આવીને તાલિબાન સાથે ચર્ચા કરી રહ્યું છે.
ભારતના રાજદૂતે તાલિબાન સાથે કરી હતી વાત
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે ભારતીય દીપક મિત્તલે તાલિબાનના વરિષ્ઠ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકજઈ સાથે મુલાકાત લીધી હતી. જે મુલાકાતમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે અફઘાનિસ્તાનની ભૂમી પર ભારત વિરોધી ગતિવિધીઓ તેમજ આંતકી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ.