CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઇંડા-નોનવેજ જેને ખાવું હશે તે ખાઇ શકે છે એમા અમને વાંધો નથી પણ...
ઇંડા-નોનવેજની લારી હટાવવાને લઇને CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
જેને ખાવું હશે તે ખાઇ શકે છે એમા અમને વાંધો નહીં
લારી દબાણમાં હશે તો હટાવશે: CM
છેલ્લા ઘણા દિવસોથી ઈંડા અને નોનવેજની લારીઓના દબાણને લઈને ગુજરાતની રાજકારણ ગરમાયુ છે, રાજકોટ, વડોદરા, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગર અને હવે અમદાવાદમાં પણ રસ્તા પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવાશે એવો નિર્ણય AMC દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષ સમગ્ર મુદ્દે મહાનગરપાલિકાના નિર્ણયનો વિરોધ કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઇંડા-નોનવેજની લારી મામલે મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
લારી દબાણમાં હશે તો હટાવશે-CM
ઇંડા-નોનવેજની લારી હટાવવાને લઇને CM ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ને ખાવું હશે તે ખાઇ શકે છે એમા અમને વાંધો નથી પણ કોર્પોરેશન એના નિયમ મુજબ નિર્ણય લઇ શકે છે. લારી રસ્તા પર દબાણમાં હશે તો હટાવવામાં આવશે. આ સાથે તેમણે નોનવેજ ઈંડા ખાતા લોકો માટે કહ્યું હતું કે કોઇ પણ નોનવેજ ખાઇ શકે છે. ખાદ્યપદાર્થો આરોગ્ય માટે હાનિકારક ન હોય શકે. પણ જાહેરમાં દબાણ કરી ઊભા રહી ધંધો ન કરી શકાયએ પણ ધ્યાને રાખવું જોઈએ.
કોંગ્રેસ કરી રહી છે મનપાના નિર્ણયનો વિરોધ
ઈંડા અને નોનવેજ લારીઓ ને દૂર કરવાની માંગ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામા આવ્યો છે ..કોંગ્રેસના નેતાઓ સવાલ કરી રહ્યા છે કે સત્તા પક્ષએ લોકોને રોજગારી આપવી જોઈએ નહીં કે ગરીબો ને રોજગારી છીંનવવી। 2014 માં આજ સત્તા પક્ષ વેન્ડર પોલિસી એક્ટ લાવ્યું હતું અને અને ગરીબો ને લાયસન્સ આપતું હતું પરંતુ આ એક્ટ મુજબ કાર્યવાહી થતી નથી ભાજપ આવા તઘલઘી નિર્ણય લેવામાં અભ્યાસ કરે પછી જે કોઈ નિર્ણય લે.