કેન્દ્રીય ચૂંટણી પંચે મોટો આદેશ જારી કરી મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીનું નામ અને પાર્ટીનું પ્રતીક એકનાથ શિંદે જૂથ પાસે રાખવા જણાવ્યું છે. જેને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
શિવસેના પર હકને પગલે એકનાથ સિંધે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ચૂંટણી પંચે મોટો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર પાર્ટીનું શિવસેના નામ અને પાર્ટીનું પ્રતીક ધનુષ અને તીર એકનાથ શિંદે જૂથ પાસે રહેશે. આ નિર્ણયને પગલે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે.
देश में लोकतंत्र बचा ही नहीं है। सब ग़ुलाम बनकर बैठे हैं, ये लोकतंत्र की हत्या है: चुनाव आयोग के फैसले पर उद्धव गुट के नेता संजय राउत, महाराष्ट्र pic.twitter.com/LxPzxxUuTF
ઠાકરે જૂથે લોકશાહીની હત્યા ગણાવી હતી
ઠાકરે જૂથના નેતાઓએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી.આ આદેશને પગલે શિવસેના (ઠાકરે જૂથ)એ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સાંસદ સંજય રાઉતે હુંકાર કરતા જણાવ્યું હતું કે અમે નવા પ્રતીક સાથે જનતાની વચ્ચે જઈશું અને નવી શિવસેનાની સ્થાપના કરવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકશાહીની હત્યા છે. અમે કાયદાકીય લડત આપીશું. તમે ચિહ્ન હડપ્યું છે, વિચાર કઈ રીતે છીનવશો. જો ધનુષ બાણ રામની જગ્યાએ રાવણને મળે તો તેનો અર્થ શું છે? તેનો અર્થ છે અસત્યમેવ જયતે...તો બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબેએ આરોપ લાગવતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપનું એજન્ટ છે અને જે ભાજપ માટે કામ કરતું હોવાનો દાવો કર્યો હતો.
यह हमारे कार्यकर्ताओं, सांसदों, विधायकों, जनप्रतिनिधियों और लाखों शिवसैनिकों सहित बालासाहेब और आनंद दीघे की विचारधाराओं की जीत है। यह लोकतंत्र की जीत है: चुनाव आयोग के फैसले पर महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे, मुंबई pic.twitter.com/kY6MZHiQbv
એકનાથ શિંદેએ કહ્યું કે
બીજી બાજુ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ચૂંટણી પંચના નિર્ણય મામલે જણાવ્યું કે આ અમારા કાર્યકરો, સાંસદો, ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ અને લાખો શિવસૈનિકોની સાથે આ બાલાસાહેબ અને આનંદ દિઘેની વિચારધારાની જીત છે. આ લોકશાહીની જીત છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ કહ્યું કે સીએમ એકનાથ શિંદેની શિવસેનાને શિવસેનાનું પ્રતીક અને નામ મળી ગયું છે. જેથી હવે અસલી શિવસેના એકનાથ શિંદેની શિવસેના બની ગઈ છે અને અમને વિશ્વાસ હતો.
CM एकनाथ शिंदे की शिवसेना को शिवसेना का चिन्ह और नाम मिला है। असली शिवसेना एकनाथ शिंदे की शिवसेना बनी है। हम पहले दिन से आश्वस्त थे क्योंकि चुनाव आयोग के अलग पार्टियों के बारे में इसके पहले के निर्णय देखे तो इसी प्रकार का निर्णय आए हैं: महाराष्ट्र उपमुख्यमंत्री देवेंद्र फडणवीस pic.twitter.com/bNmMKcaxOA
નિશાન મામલે ચૂંટણી પંચે અવલોકન કરતા જણાવ્યું કે હાલનું શિવસેનાનું બંધારણ અલોકતાંત્રિક છે. જેમાં બિનલોકશાહી ઢબે એક જૂથના લોકોને કોઈપણ ચૂંટણી વિના પદાધિકારી તરીકે નિયુક્ત કરાઈ છે. આ માળખું વિશ્વાસ અપાવમમાં નિષ્ફળ નીવડે છે. વધુમાં ચૂંટણી પંચની જાણકારીમા આવ્યું કે શિવસેનાનું આ બંધારણ, 2018 માં સંશોધિત કરાયું હતું. જેને ભારતના ચૂંટણી પંચને અપાયું નથી.
मैंने कहा था कि चुनाव आयोग को सुप्रीम कोर्ट के फैसले से पहले फैसला नहीं देना चाहिए। यदि विधायकों और सांसदों की संख्या के आधार पर पार्टी का अस्तित्व तय किया जाता है, तो कोई भी पूंजीपति विधायक, सांसद खरीद सकता है और मुख्यमंत्री बन सकता है: शिवसेना प्रमुख उद्धव ठाकरे pic.twitter.com/WLneyaNw0C
ચૂંટણી પંચે આ નિર્ણય લેતા પહેલા કેટલાક આધાર પુરાવા તપસ્યા હતા. જેમાં વિધાનસભામાં કુલ 67 માંથી 40 ધારાસભ્યોનું શિંદે જૂથને સમર્થન છે. તો 13 સાંસદો શિંદે જૂથના ટેકામાં અને 7 સંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છે ત્યારે. કેન્દ્રીય ચૂંટણી પંચ આ આધારને ધ્યાને લઈને શિંદે જૂથની તરફેણમાં આદેશ આપ્યો છે.