બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Statement by Hitesh Pandya, Additional PRO, Chief Minister's Office

Vtv Exclusive / કિરણ પટેલ કેસ: CMOમાંથી રાજીનામું આપનાર હિતેશ પંડ્યાએ કહ્યું, PMનું નામ ખરાબ ન થાય તે માટે આપ્યું રાજીનામું

Dinesh

Last Updated: 04:58 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ પીઆરઓ હિતેશ પંડ્યાએ જણાવ્યું કે, પીએમઓનું નામ વટાવનાર કિરણ પટેલની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ

  • મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ પીઆરઓ હિતેશ પંડ્યાનું નિવેદન
  • PM નરેન્દ્ર મોદીનું નામ ખરાબ ન થાય તેને લઈ રાજીનામું આપ્યું: હિતેશ પંડ્યા
  • પ્રધાનમંત્રીએ મારૂ ઘડતર કર્યું છે: હિતેશ પંડ્યા


મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડ્યાએ ગઈકાલે રાજીનામું આપી દીધું છે. મહાઠગ કિરણ પટેલ કેસમાં હિતેશ પંડ્યાના દીકરા અમિત પંડ્યાનું નામ સામે આવ્યું હતું જેને લઈ હિતેશ પડ્યાંએ રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ પીઆરઓ હીતેશ પંડ્યા સાથે vtvએ ખાસ ચર્ચા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ખરાબ ન થાય તેને લઈ રાજીનામું આપ્યું છે તેમ હિતેશ પંડ્યાએ જણાવ્યું છે.

vtv સાથે વાતચીતમા હિતેશ પંડ્યાનો સ્વીકાર
હિતેશ પંડ્યાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ મારૂ ઘડતર કર્યું છે. vtv સાથે વાતચીતમા હીતેશ પંડ્યાએ કહ્યું કે, કિરણ પટેલ ભૂતકાળમાં સીએમઓ, ગૃહમંત્રીના નામનો ઉપયોગ કરતો હતો. તેમણે કહ્યું કે, અમિત પંડ્યાને પૂછપરછ માટે બોલાવ્યો છે અને પીએમઓનું નામ વટાવનાર કિરણ પટેલની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે, અમિત તથા કિરણ આઈટી કંપનીમા સાથે કામ કરતા હતા. હિતેશ પંડ્યાએ કહ્યું કે, ભાજપ આઈટી સેલમાં રીશફલિંગ પછી કામ બંધ કર્યું છે અમિત પંડ્યાને ભાજપ આઈટી સેલમા કાઢવામાં આવ્યા નથી.

શું હતો સમગ્ર મામલો ? 
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. જેના સંપર્કમાં અમિત પંડ્યા હોવાની ચર્ચા વહેતી થઈ હતી.

કિરણ પટેલ મામલે અનેક ખુલાસા
અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલ અંગે વધુ એક ખુલાસો થયો છે. જમીની હકીકત પરથી VTV NEWSએ પરદો ઉચક્યો હતો. હાઈ પ્રોફાઈલ જીવન જીવતા કિરણ પટેલની વતનમાં અલગ છબી છે. કરોડોના બંગલામાં રહેતા કિરણ પટેલની માતા જર્જરિત મકાનમાં રહે છે. દીકરાના કારસ્તાનના કારણે માતાએ પણ ઘર છોડ્યું હતું. લક્ઝુરિયસ ગાડીઓમાં રોફ જમાવતા કિરણની માતા એકલવાયું જીવન જીવે છે. ગામના લોકોએ પણ ઠગની સ્થિતિનું વર્ણન કર્યું  છે.
 
કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલા પર બગાડી હતી નજર
PMOમાં નોકરી કરું છું અને મારી બહુ મોટી ઓળખાણ છે આવું કહી છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈને પણ નથી મૂક્યા. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલા પર કિરણ પટેલે નજર બગાડી હતી. મોટી મોટી ઓળખાણો આપીને અને મીઠી મીઠી વાતો કરીને જગદીશ ચાવડાનોનો બંગલો ઝડપી લેવા માટે ષડયંત્ર રચ્યું હતું. જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો દાવો મુક્યો હતો. વાસ્તુ કરાવી કિરણ પટેલે બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો હતો. જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાનું બોર્ડ પણ લગાવી દીધું હતું. એટલું જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો. 

અનેક લોકોને છેતરી ચૂક્યો છે મહાઠગ કિરણ પટેલ
આપને જણાવી દઈએ કે, કિરણ પટેલ અત્યાર સુધીમાં ઘણાં લોકોને ચૂનો ચોપડી ચૂક્યો છે. તેની વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ