ધારાસભ્યો-સાંસદોને સી.આર.પાટીલની ટકોર, કહ્યું કેટલીક વાર ફરીયાદો મળે છે નેતાઓ મત વિસ્તારમાં આવતા નથી
ધારાસભ્યો-સાંસદોને સી.આર.પાટીલની ટકોર
"સંગઠનના કામકાજે જાઓ ત્યારે જાણ કરવી"
"નેતાઓ એ પણ કાર્યકર્તા બનીને જ રહેવું"
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યો-સાંસદોને સી.આર.પાટીલને આકરી ટકોર કરતા કહ્યું છે કે પોતાના મત વિસ્તારમાં નેતાઓ આવતા નથી તેવી ફરીયાદ દુર થશે, કેટલીક વાર ફરીયાદો મળે છે નેતાઓ મત વિસ્તારમાં આવતા નથી. તો હું દરેક ભાજપના નેતાને આહવાન કરું છું કે કોંગ્રેસને હરાવવા કરતા તેમની ડિપોઝિટ જપ્ત થાય તેવી મહેનત કરો જેના માટે નેતાઓ એ પણ કાર્યકર્તા બનીને જ રહેવુ.
પેજ કમિટીમાં વિલંબ થશે તો બીજાને જવાબદારી સોપાશેનો સંકેત: સી આર પાટીલ
સી આર પાટીલે પેજ કમિટીને લઈને પણ નિવેદન આપતા કહ્યું છે કે સંગઠનના કામકાજ અર્થે જાઓ ત્યારે અગાઉથી જાણ કરવી, હોદ્દેદારો અને આગેવાનોને મેસેજ કરી ગૃપમાં માહિતી આપવાની ટેવ પાડવી જોઈએ, આ ઉપરાંત પેજ કમિટીને હળવાશથી લઈ રહેલા કાર્યકર્તા અને નેતાઓને ટકોર્યા હતા પેજ કમિટીઓ જેની બાકી છે તે ધારાસભ્યો 30 નવેમ્બર પહેલા પુરી કરી દેજો તેવી ચેતવણી આપતા કહ્યું હતું કે પેજ કમિટીમાં વિલંબ થશે તો બીજાને જવાબદારી સોપાશે
ટેબ્લેટ ઘરે બાળકોને રમવા તો નથી આપ્યા ને?: સી આર પાટીલ
મહત્વનું છે કે ભાજપ પાર્ટી તરફથી સાંસદો-ધારાસભ્યોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે જેથી તે સોશિયલ મીડિયા થકી ભાજપ સરકારના કામો લોકો સુધી પહોંચાડી શકે તેમજ સંગઠનના કામકાજ પણ આસાની રહે. પણ હાલ કોઈ પણ ધારાસભ્યના હાથમાં ટેબલેટ ન દેખાતા સી આર પાટીલે કહ્યું હતું કે સાંસદો-ધારાસભ્યોને ટેબ્લેટ આપ્યા પરંતુ કોઈના હાથમાં દેખાતા નથી તેવી વાત કરી પ્રશ્ન કર્યો હતો કે પાર્ટીએ આપેલા ટેબ્લેટ ઘરે બાળકોને રમવા તો નથી આપ્યા ને?
ઉદ્યોગોને સબસિડીને લઈને પણ સી.આર.પાટીલ બોલ્યા હતા જેમાં તેમણે 700 કરોડ રૂપિયાની ઉદ્યોગોને સબસીડી આપવા સરકાર તૈયારી કરી રહી છે હોવાની વાત કરી હતી.કોરોના કાળમાં માદા પડી ગયેલા ઉદ્યોગોને બુસ્ટર ડોઝ મળશે. અનેક એવા ઉદ્યોગો છે જે પડી ભાગ્યા છે સરકાર જો સબસિડી આપે તો ઉદ્યોગ જગતની દિવાળી સુધરી શકે છે.