શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે અનેક પરિપત્રો દ્વારા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. ગત વર્ષે 5 થી 8માં ધોરણમાં ભણતા વિધાથીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધારવા માટે અનોખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેનુ નામ હતું મોબાઈલ પ્રયોગશાળા.
પ્રયોગશાળાના થંભી ગયા પૈડા
ધૂળ ખાય છે મોબાઈલપ્રયોગશાળા
2017માં રાજ્ય સરકારે શરૂ કરેલ પ્રયોગશાળા બંધ હાલતમાં
સરકાર વિધાથીઓ માટે ભાર વિનાના ભણતર માટે અનેક યોજનાઓ અને સુવિધાઓ ઉભી કરી છે. જે પ્રમાણે સરકારે ધોરણ પાંચ થી આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે મોબાઈલ પ્રયોગ શાળા વિકસાવી હતી. આ મોબાઈલ પ્રયોગ શાળામાં રાજ્ય સરકારે 2017માં રાજ્યના ચાર ઝોનમાં અમલી મૂકી હતી.
મોબાઈલ પ્રયોગ શાળાનો ઉદેશ્ય હતો વિદ્યાર્થીલક્ષી
મોબાઈલ પ્રયોગ શાળાનો મુખ્ય ઉદેશ્ય વિધાર્થીઆને વિજ્ઞાનના પ્રયોગનું લાઈવ ડેમો દ્વારા જ્ઞાન મેળવી શકે તે હતો. 2017માં રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યઝોન માટે મોબાઈલ પ્રયોગ શાળા ફાળવામાં આવી હતી. શાળામાં એક સાયન્સના શિક્ષક, હેલ્પર અને ડ્રાઈવર દ્વારા શાળએ શાળાએ પહોચીને વિદ્યાર્થીઓને પ્રયોગ શીખવામાં આવતા હતા. .પરતું છેલ્લા કેટલાય સમયથી આ મોબાઈલ પ્રયોગ શાળાના પૈડા થભી ગયા છે. અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે લાખો રૂપિયાની મોબાઈલ પ્રયોગ શાળા ધૂળ ખાઈ રહી છે.
આઉટ સોર્સીગ સ્ટાફ અભાવે બંધ થઇ પ્રયોગ શાળા
છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઈ રહેલી મોબાઈલ પ્રયોગ શાળા મુદે VTVએ જિલ્લા પ્રથમિક શિક્ષણ અધિકારી એમ.એન પટેલને પૂછ્યું તો તેમણે કહ્યું કે, બે વર્ષ પહેલા કાર્યરત થયેલી આ સુવિધા માટે સરકારે આઉટ સોર્સીગથી સ્ટાફ ઊભો કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આઉટ સોર્સીગ સ્ટાફ અભાવે આ પ્રયોગ બંધ રાખવો પડયો છે. જેના કારણે છેલ્લા કેટલાય સમયથી આ યોજનાનો લાભ બાળકો મળી શક્યો નથી. જોકે તેઓ હવે જિલ્લા પંચાયત દ્વારા ફરીવાર મોબાઈલ પ્રયોગ શાળા શરૂ કરવાની વિચારણા ચાલી રહી હોવાનું જણાવી રહ્યા છે.
નવા સ્ટાફની ભરતી કરવામાં આવે તો સારું
ત્યારે હવે મોબાઈલ પ્રયોગ શાળાના સંચાલન માટે નવા સ્ટાફની ક્યારે ભરતી કરાય છે અને બાળકો સુધી આ પ્રયોગ શાળા ફરીવાર ક્યારે પહોંચે છે, કે પછી પ્રયોગશાળાનો આ કોન્સેપ્ટ કાયમ માટે ભૂલી જવો પડશે? તે તો જોવું જ રહ્યું.