રાજ્યના મુખ્યસચિવ જે. એન. સિંહ આજે સેવા પરથી નિવૃત થવાના છે. આજે જે.એન.સિંહનો ફરજ પરનો આખરીદી દિવસ છે. મુખ્ય સચિવ જે. એન. સિંહને એક્ટેન્શન આપવા આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
વર્તમાન સ્થિતીને ધ્યાને રાખીને જે.એન.સિંહને 6 મહિનાનું એક્ટેન્શન આપવામાં આવે તેવી શક્યતા છે. તો બીજી તરફ નવા મુખ્ય સચિવના નામો પર પણ ચર્ચા થઈ રહી છે. નવા મુખ્ય સચિવની રેસમાં બે નામ મોખરે છે. અરવિંદ અગ્રવાલ અને અનિલ મુકિમના નામ સૌથી મોખરે છે.
1984 બેંકના IAS અરવિંદ અગ્રવાલ વયની દ્રષ્ટિએ સૌથી વરિષ્ઠ અધિકારી છે. તો બીજી તરફ 1985 બેંચના IAS અધિકારી અનિલ મુકિમની ડેપ્યુટેશન પર દિલ્લીમાં નિયુક્તી કરાઇ હતી. આ બે અધિકારીઓમાંથી કોને મુખ્યસચિવ બનાવવામાં આવશે તે જોવાનુ રહેશે..