લંડન બ્રિજ પર શુક્રવારે ચપ્પાથી થયેલ હુમલાની ઘટનાને પોલીસે આતંકી હુમલો ગણાવી નિવેદન આપવામાં આવ્યું કે આ હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે હુમલાખોરે જે બોમ્બ વેસ્ટ પહેર્યું હતું તે નકલી હતું. સ્થાનિક મીડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનામાં ઘાયલ લોકોમાંથી સારવાર દરમિયાન બેના મોત નિપજ્યાં છે.
લંડન બ્રિજ પર શુક્રવારે કરાયો આતંકી હુમલો
પોલીસે હુમલાખોરને ઠાર કર્યાની કરી પુષ્ટી
આતંકી હુમલામાં સારવાર દરમિયાન બેના મોત
બ્રિટનના ઉચ્ચ કાઉન્ટર-ટેરેરિજમ ઓફિસરે જણાવ્યું છે કે પોલીસે હુમલાખોરને ગોળી મારી ઠાર માર્યો છે. આ એક આતંકી હુમલો હતો. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે જણાવ્યું છે કે આ હુમલા બાદ લંડન બ્રિજ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલ ટ્રેન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે.
લંડન પોલીસ દ્વારા આ હુમલાને લઇને જણાવામાં આવ્યું કે આ હુમલો સ્થાનિક સમયાનુસાર શુક્રવાર બપોરે 2 વાગે અંદાજે બ્રિજની નજીક ચાકુથી કરાયેલા હુમલાની જાણકારી મળી હતી. પોલીસનું કહેવા અનુસાર આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. જો કે કયા કારણસર આ ઘટના ઘટી તે અંગે હજુ સુધી પોલીસને જાણકારી મળી નથી.
આ અગાઉ સ્કોટલેન્ડ યાર્ડે કહ્યું કે લંડન બ્રિજ પર થયેલી ઘટનાને અંજામ આપવાના શરૂઆતી ચરણમાં છીએ. જ્યારે પ્રધાનમંત્રી બોરિસ જોનસેને પ્રધાનમંત્રી ઓફિસના ટવિટર હેન્ડલ પરથી જણાવ્યું હતું કે મને લંડન બ્રિજની ઘટના અંગે સતત જાણકારી આપવામાં આવી છે. પોલીસ તેમજ બધી તત્કાલિન સેવાઓ તરત આપવાને લઇને ધન્યવાદ આપવા ઇચ્છુ છું.