આતંકીઓ દ્વારા ડ્રોન હુમલાની વધતી ઘટનાથી ચિંતિત જમ્મુ કાશ્મીર વહિવટી તંત્ર દ્વારા હવે શ્રીનગરમાં પણ ડ્રોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ડ્રોનથી હુમલાની ઘટના વધતા તંત્ર હરકતમાં, લીધો આ નિર્ણય
જમ્મુ એરપોર્ટ સ્થિત એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી થયો હતો હુમલો
કઠુઆ બાદ શ્રીનગરમાં પણ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
જેમની પાસે ડ્રોન હોય તેણે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા પડશે
કઠુઆ અને રાજૌરી બાદ હવે શ્રીનગરમાં પણ ડ્રોન સંબંધિત તમામ ગતિવિધિઓ પર પાબંધી ફરમાવી દેવામાં આવી છે. જમ્મુમાં થોડા દિવસ પહેલા ડ્રોન આતંકી હુમલા બાદ શ્રીનગરમાં પણ ડ્રોન પર પ્રતિબંધ લાગી ગયો છે. કોઈપણ પ્રકારના ડ્રોન કે અન્ય અનમેન્ડ એરિયલ વીકલ્સ (UAVs) રાખવા પર પ્રતિબંધ હશે.
જેમની પાસે ડ્રોન હોય તેમણે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા પડશે
શ્રીનગરના જિલ્લાધિકારી મોહમ્મદ એઝાજે કહ્યું કે, જેમની પાસે આવા ડિવાઇસ છે, તે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દે. તેમણે કહ્યું કે જિલ્લામાં ડ્રોન કે આવા UAVs રાખવા/વેચવા/ભેગા કરવા, ઉપયોગ કરવા કે ટ્રાન્સપોર્ટ કરવા પર પ્રતિબંધ હશે. સરકારી વિભાગ જે ડોર્ન્સનો ઉપયોગ કરે છે, તેણે આમ કરતા પહેલા સ્થાનીક પોલીસ સ્ટેશનમાં માહિતી આપવી પડશે.
જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન હુમલા વધતા નિર્ણય લેવાયો
જમ્મુ વાયુસેના સ્ટેશન પર પાંચ મિનિટના અંતરમાં સતત બે વિસ્ફોટ થયા હતા. રાત્રે 1.37 કલાક અને 1.42 કલાકે બે ધમાકાથી એક ઇમારતની છત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. 27 જૂને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ ઘણા દિવસ સુધી સતત ડ્રોન નજર આવતા રહ્યાં. 2 જુલાઈએ સીમા સુરક્ષા દળ (BSF) એ જમ્મુના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી આવી રહેલા એક ક્વાડકોપ્ટર પર ફાયરિંગ કર્યું હતું. ડ્રોન હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કરી રહી છે.
ડ્રોન હુમલાની ભીતિને પગલે તમિલનાડુ અને કેરલમાં હાઈ એલર્ટ
જમ્મુમાં ડ્રોન હુમલા બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તમિલનાડુ અને કેરલમાં હાઈએલર્ટ પર છે. એજન્સીઓએ તમિલનાડુ અને કેરલ, બન્ને પોલીસને એલર્ટ રહેવા અને રાજ્યોમાં ઘુસણખોરી માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. શ્રીલંકામાં હંબનથોટા પોર્ટ પર ચીની કબજા બાદ, તટરક્ષક દળ અને ભારતીય નૌસેનાની ગુપ્ત જાણકારી તમિલનાડુના સમુદ્રી ક્ષેત્ર અને કેરલના દક્ષિણી ક્ષેત્રમાં હાઈ એલર્ટ પર છે.