અમદાવાદ આવેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ રામ મંદિર મુદ્દે પોતાનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રામ મંદિર બનવું જ જોઈએ. તમામ ધર્મગુરુઓ આ ઈચ્છે છે.
આ ઉપરાંત તેમણે જણવ્યું કે સૌથી સહમતિથી મંદિર બને તે જરૂરી છે. રામ મંદિર નિર્માણ મુદ્દે કાયદો લાવવો કે નહીં તે સરકાર પર નિર્ભર છે. આ ઉપરાંત સબરીમાલામાં યુવા મહિલાઓના પ્રવેશ મામલે તેમણે કહ્યું કે 41 દિવસની તપસ્યા કરીને ભક્તો ભગવાનના દર્શને જાય છે. વર્ષોથી પરંપરા છે અને એ જળવાય એ જરૂરી છે.
તમને જણાવીએ કે ગુરુ શ્રી શ્રી રવિશંકર દિવાળી દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. નિકોલમાં તેમના પાવન સાન્નિધ્યમાં શ્રી ધન્વન્તરી હોમ લક્ષ્મી પૂજન અને મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું.
ધનતેરસના દિવસે ધન્વન્તરીદેવની પૂજા-હોમ પૂર્વ સ્વસ્થતા પ્રાપ્ત કરવા મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારે એક હજારઆઠ પ્રકારની ઔષધિઓના ઉપયોગથી હોમ કરવામાં આવ્યો.