શ્રીલંકાના પીએમ રોનિલ વિક્રમસિંઘે ભારતના પ્રવાસે આવશે અને આ પ્રવાસ પહેલા ભારતને મોટો ફાયદો થયો છે. શ્રીલંકાએ ત્રીસ કરોડ ડોલરની હાઉસિંગ ડીલ ચીની કંપનીઓને આપવાનો પોતાનો નિર્ણય બદલ્યો છે. શ્રીલંકા સરકારે કહ્યુ કે હવે આ ડીલ ભારતીય કંપનીની જોઈન્ટ વેન્ચર પૂરી કરશે.
પીએમ રાનિલે શનિવારે ભારત મુલાકાતે આવશે અને પીએમ મોદી સાથે તેમની મુલાકાત થશે. શ્રીલંકા અને ભારત વચ્ચે સારા સંબંધો છે. શ્રીલંકાના ઉત્તર અને પૂર્વમાં રહેતા તામિલોના લીધે બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક અને એથનિક લિંકનો મોટો ઈતિહાસ રહ્યો છે. ત્યારે ભારત હવે ત્રીસ કરોડ ડોલરની ડીલથી શ્રીલંકાના ઝાફનામાં 40 હજાર મકાનો બનાવશે.
આ પ્રોજેક્ટમાં ચીનની એગ્જીમ બેંક તરફથી ફંડિગ કરવામાં આવી રહ્યુ છે. જો કે સ્થાનિકો દ્વારા ઈંટના મકાન બનાવવાની માગને લઈને હાલ પ્રોજેક્ટ અદ્ધરતાલ છે. લોકોનું કહેવું છે કે પારંપરિક રૂપવાળુ ઈંટનું મકાન જોઈએ અને ચીનની કંપનીઓએ કોંક્રેીટ સ્ટ્રક્ચરના હિસાબથી ઘર બનાવવાની તૈયારી કરી હતી.
શ્રીલંકા સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે કેબિનેટે 28 હજાર મકાનો બનાવવા માટે રૂ. 3 હજાર 580 કરોડ રૂપિયાનો નવો પ્રસ્તાવ પણ પાસ કર્યો છે. જેથી હવે ભારતીય કંપની એન.ડી.એન્ટરપ્રાઈઝ બે શ્રીલંકાની કંપનીઓ સાથે મળીને મકાન બનાવશે.