બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Pravin
Last Updated: 07:38 PM, 2 April 2022
શ્રીલંકામાં શનિવારે 36 કલાકના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકામાં પહેલાથી જ હાલત ખરાબ થઈ છે. જેના નિવારણ માટે આ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવા સમયે રાષ્ટ્રપતિ, તેમના સંબંધીઓ અને તતેના સૌથી વિશ્વાસુ પૂજારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને દબાવવા માટે સૈનિકોને નવો પાવર આપવાની સાથે તૈનાત કરવામાં આવ્યા છે. દ્વીપીય દેશમાં શનિવારે સાંજે જ લોકડાઉન લાગૂ થઈ જશે અને તે સોમવાર સવાર સુધી ચાલુ રહેશે. પોલીસનું કહેવુ છે કે, આ સમયમાં ઈંધણ, ભોજન અને દવાની કમીને લઈને થનારા વ્યાપક સરકારી વિરોધ પ્રદર્શનથી નિવારણ આવશે.
રાષ્ટ્રપતિના ઘર પર હુમલો કર્યા બાદ લોકડાઉનની જાહેરાત
લોકડાઉન લાગૂ કરવાનો આ આદેશ રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષે દ્વારા તેમના ઘર પર હુમલા બાદ જાહેર કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિના ઘર પર હુમલા બાદ તેમણે ઈમરજન્સી લગાવાના આદેશ આપ્યા હતા. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે, આવું સાર્વજનિક સુરક્ષાવ્યવસ્થાને લઈને કરવામાં આવ્યું છે. હકીકતમાં દેવાળીયા થવાની કગાર પર આવીને ઉભેલા શ્રીલંકામાં શનિવારે અનુરાધાપુર શહેરમાં એક મહિલાના ઘર તરફથી લોકોની ભીડ દોડવા લાગી હતી. કહેવાય છે કે, આ મહિલા રાષ્ટ્રપતિ રાજપક્ષેને સલાહ આપ્યા કરતી હતી. રાઈટ એક્ટિવિસ્ટ અને પૂર્વ વિપક્ષી સાંસદ હિરુનિકા પ્રેમચંદ્રના નેતૃત્વમાં ડઝનો મહિલાઓેના મંદિર અને આવાસ પર હુમલાઓ કરવામા આવ્યા પણ પોલીસે તેમને રોક્યા નહોતા.
શ્રીલંકાની અર્થવ્યવસ્થા પડી ભાંગી
કોરોના મહામારીએ પર્યટન પર નિર્ભર એવા શ્રીલંકાની કમર તો પહેલાથી તોડી નાખી છે. આ ઉપરાંત વિદેશોથી આવતા ભંડાર પણ બંધ થઈ ગયા છે. આ બંને દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વના કારણો છે. તો વળી અધિકારીઓએ વિદેશી મુદ્રાને બચાવવા માટે મોટા પાયે આયાત પ્રતિબંધ લગાવી દીધા છે. કેટલાય અર્થશાસ્ત્રીઓનું તો ત્યાં સુધી કહેવુ છે કે, સરકારની કુપ્રબંધન નીતિ, વર્ષોથી લેવાતી ઉધારી અને અયોગ્ય ટેક્સ કાપથી સંકટ વધારે થયું છે. શ્રીલંકામાં કર્ફયુ અને ઈમરજન્સીની જાહેરાત એવા સમયે થઈ છે, જ્યારે સોશિયલ મીડિયા પર રવિવારે વિરોધ પ્રદર્શન માટે લોકો તૈયાર થઈ રહ્યા હતા. એક પોસ્ટમાં તો ત્યાં સુધી કહેવાયુ હતું કે, ટિયર ગેસથી ડરવાનું નથી.
શ્રીલંકાની કપરી સ્થિતિ પર કેટલાય દેશોએ ચિંતા વ્યક્ત કરી
સામાન્ય દિવસોમાં શ્રીલંકાની સેના ફક્ત પોલીસ માટે સહાયકની ભૂમિકા ભજવી શકે છે. પણ ઈમરજન્સીની સ્થિતિમાં એકલા કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. તેમા નાગરિકોની ધરપકડ કરવાનો અધિકાર પણ સામેલ છે. અમેરિકી રાજદૂત જૂલી ચુંગે ચેતવણી આપી છે કે, શ્રીલંકાઈ લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર છે. આ લોકતાંત્રિક અભિવ્યક્તિ માટે ખાસ જરૂરી છે. બ્રિટેનના દૂતે પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે યુરોપિય સંઘ મિશને કહ્યું કે, આ શ્રીલંકાઈ અધિકારીઓએઅ તમામ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવા આગળ આવવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news