સુપ્રીમ કોર્ટે સ્પાઈસજેટને રાહત આપતા શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટના એ આદેશ પર ત્રણ અઠવાડીયા માટે રોક લગાવી દીધી છે, સાથે જ કોર્ટે ચુકવણી સંબંધિત થોડી રાહત આપી છે.
સુપ્રીમ કોર્ટે સ્પાઈસજેટને રાહત આપતા શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટના એ આદેશ પર ત્રણ અઠવાડીયા માટે રોક લગાવી દીધી છે, જેમાં હાઈકોર્ટે ક્રેડિટ સુઈસને 24 મિલિયન ડોલરની ચુકવણી કરવામાં નિષ્ફળ રહેલી એરલાઈન્સને પોતાનું સંચાલન બંધ કરવા કહેવામાં આવ્યું હતું. જો કે, મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી વડી અદાલતની પીઠે એરલાઈન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, જો આપ એરલાઈન્સ ચલાવી શકતા નથી તો, અમે આપને દેવાળિયા જાહેર કરી દઈશું. આ એરલાઈન્સ ચલાવાની રીત નથી.
કોર્ટે સ્પાઈસજેટને ક્રેડિટ સુઈસની સાથે કરાર કરવાની કોશિશ કરવાનું પણ કહ્યું હતું.
ક્રેડિટ સુઈસે કંપની કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સ્પાઈસજેટ જ્યૂરિખ સ્થિત એમઆરઓ એસઆર ટેકનિક્સની જાળવણી, ખર્ચો અને ઓવરહોલિંગ માટે 24 મિલિયન ડોલરથી વધારેનું દેવું હતું.
એમઆરઓ કંપનીએ ક્રેડિટ સુઈસ એજીને એસઆર ટેક્નિક્સ તરફથી ચુકવણું પ્રાપ્ત કરવા માટેનો અધિકાર સોંપ્યો હતો અને કંપની કોર્ટે સ્પાઈસજેટના સમાપનને સ્વિકાર કર્યો હતો. કંપની કોર્ટ દ્વારા સમાપન અરજીને સ્વિકાર કર્યા બાદ, સ્પાઈસજેટે તેના વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે અપીલ પર વિચાર કરવાનું ના પાડી દીધી હતી.
સુનાવણી દરમિયાન, સ્પાઈસજેટનનું પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ વડી અદાલતને માહિતગાર કર્યા કે, એરલાઈન કંઈ કામ કરવાની કોશિશ કરી રહી છે અને આવી રીતે કોર્ટે ત્રણ અઠવાડીયા સુધી સુનાવણી સ્થગિત કરવાનો આગ્રહ કર્યો છે.
આ અગાઉ સ્પાઈસજેટે મદ્રાસ હાઈકોર્ટમાં તર્ક આપ્યો હતો કે, એસઆર ટેક્નિક્સની પાસે 2009થી 2015 સુધી DGCAની મંજૂરી નહોતી, પણ કોર્ટે એ તર્ક પર ધ્યાન આપ્યુ નહીં અને કહ્યું કે, એસઆર ટેકનિકની સેવાઓનો એરલાઈન્સ લાભ ઉઠાવ્યો હતો.
એરલાઈન કંપનીએ એવો પણ તર્ક આપ્યો કે, સ્વિસ કંપનીએ ડીજીસીએની મંજૂરી થવાની છેતરપીંડીની ખોટી વ્યાખ્યા કરી હતી અને તર્ક આપ્યો હતો કે, ભારતીય અને અન્ય લાગૂ કાયદા વિરુદ્ધ હતો, અને તેનાથી આખો કરાર વ્યર્થ અને નકામો થઈ જાય છે.