SPGના અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન કર્યુ હતું અને જણાવ્યુ હતું કે, આંદોલન વ્યક્તિગત નથી, સમાજની માંગ હતી. 10 ટકા અનામત સુપ્રીમમાં લટકે છે. આંદોલન દરમ્યાન પાટીદાર પીડિત યુવકોના પરિવારને નોકરી મળી નથી.
આજે પણ યુવાનો પર કેસ ચાલુ છે, જે પરત ખેંચવામાં આવ્યા નથી. હાર્દિક રાજકીય માણસ થઈ ગયો છે, કોંગ્રેસની ભાષા બોલે છે. આજે પણ અલ્પેશ કથીરિયા જેલમાં છે. હાર્દિકે કહ્યું હતું કે રાજકારણમાં જોડાશે નહીં પણ તે જોડાયો છે. અમે ગુજરાતની SPG ટિમ અને આગેવાનોની મિટિંગ કરીશું.
રાજકોટ ખાતે મળી પાટીદાર અગ્રણીઓની બેઠક
આપને જણાવી દઇએ કે, પાટીદાર અગ્રણી અને અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ પટેલેની જેલમુક્તિને લઇને આજરોજ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે પાટીદાર અગ્રણીઓની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખોડલધામના વડા અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ સહિત સમાજના અન્ય આગેવાને ખાસ હાજર રહ્યા હતા.
#LaljiPatel નું નિવેદન, આંદોલન વ્યક્તિગત નથી, સમાજની માંગ હતી , 10 ટકા અનામત સુપ્રીમમાં લટકે છે, આંદોલન દરમ્યાન પાટીદાર પીડિત યુવકોના પરિવારને નોકરી મળી નથી, આજે પણ યુવાનો પર કેસ ચાલુ છે, પરત ખેંચાયા નથી, #hardikpatel રાજકીય માણસ થઈ ગયો છે કોંગ્રેસની ભાષા બોલે છેઃ લાલજી પટેલ pic.twitter.com/xxtSCpOrqR
આ બેઠકમાં પાટીદાર યુવાન અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ બાબત અને પાટીદાર આંદોલન સમયે જેટલા પાટીદાર યુવકો સામે પોલીસ કેસ નોંધાયેલા છે તેને લઇને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને 6 સભ્યોની કમિટીની રચના કરવામાં આવેલ.
આ બેઠકમાં હાજર ખોડલધાનમાં અગ્રણીએ પાટીદાર આંદોલનને લઇને એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલે કહ્યું-અનામત આંદોલનનું અસ્તિત્વ હાલ રહ્યું નથી.
હાર્દિક પટેલનું નિવેદન શું હતું..?
જેને લઇને પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા અને કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક એવા પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલે પણ નરેશ પટેલના આંદોલનની સમાપ્તીના નિવેદનને આવકાર્યું હતું અને કહ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા 10 % અનામતની જાહેરાત કર્યા બાદ આંદોલન કરવું અયોગ્ય ગણાય.
શું હતું અનામત આંદોલન. ?
25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડથી પાટીદાર સમાજ માટે અનામતની માંગ સાથે એક આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.