આર્યન ખાન કેસમાં હવે કોર્ટ બુધવારે સુનવણી કરશે. શુક્રવારે આર્યનને જામીન મળી નહોતી પરંતુ તેના વકીલ સતીશ માનશિંદેએ આજે ફરી જામીન માટેની અરજી દાખલ કરી છે.
આર્યન ખાનને આજે પણ ન મળ્યા જામીન
બુધવારે કોર્ટમાં થશે આર્યન કેસ પર સુનવણી
સતીશ માનશિંદેએ ફરી કરી જામીનની અરજી
11 તારીખે થવાની હતી સુનવણી
આર્યન ખાન તેમજ પકડાયેલા અન્ય કથિત આરોપીઓની જામીનની અરજી પર કોર્ટે કહ્યું છે કે બુધવારે સુનવણી કરવામાં આવશે. આર્યનના વકીલ સતીશ માનશિંદે અને અમિત દેસાઇ કોર્ટ પહોંચ્યા હતા.
Drugs-on-cruise case: Special NDPS court in Mumbai to hear accused Aryan Khan and others' bail pleas on Wednesday
બુધવારે થશે સુનવણી
આર્યન ખાન માટે વકીલ સતીશ માનશિંદેએ જામીનની અરજી દાખલ કરી હતી પરંતુ હજી શાહરુખના દિકરાને 3 દિવસ જેલમાં રહેવું પડશે કારણકે કોર્ટમાં બુધવારે સુનવણી કરવામાં આવશે.
શુક્રવારે રિજેક્ટ થઇ હતી અરજી
આર્યન ખાનની 3 અરજી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. માતા ગૌરી ખાનના જન્મદિવસના દિવસે આર્યનની અરજી રિજેક્ટ કરી હતી અને આર્થર રોડ જેલમાં લઇ જવામાં આવ્યો હતો.
એનસીબી દ્વારા મોટી કાર્યવાહી કરી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે ડ્રગ્સ કેસમાં શંકાસ્પદ ભૂમિકામાં છે. મહત્વનું છે કે, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સતત કરવામાં આવી રહેલી પૂછપરછ બાદ આર્યન ખાન વધુ લાગણીશીલ થઇ ગયો છે. એટલું જ નહીં, એવા અહેવાલ પણ સામે આવી રહ્યાં છે કે આર્યન ખાનને તેના પિતા સાથે મળવાની મંજૂરી આપવામાં આવી. પરંતુ જ્યારે શાહરૂખ ખાન પોતાના પુત્રને જેલમાં મળવા પહોંચ્યા તો આર્યન ખાન તેના પિતાને જોઈને ખૂબ લાગણીશીલ થયો અને રડવા લાગ્યો.