ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવતા વિધાનસભા સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો છે.પરેશ ધાનાણીએ વિધાનસભા સચિલ સમક્ષ સ્પિકર રાજેન્દ્ર ત્રિવેદીની વર્તણુકને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો છે.
પરેશ ધાનાણીએ જણાવ્યું કે સંસદીય મર્યાદામાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ પણ તે થતી નથી.સ્પીકરના પદ પર બેઠા પછી પક્ષપાત ન રાખવો જોઈએ.સ્પીકરની ખુરશી પરથી ખલેલ પહોંચાડવામાં આવે છે તે દુખદ છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ ગુજરાત વિધાનસભામાંથી વિપક્ષમાં બેઠલા કોંગ્રેસના સભ્યોને એકદિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા અને આ ઘટનામાં કેટલાક કોંગ્રેસી સભ્યોને ટીંગા ટોળી કરીને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.