પૃથ્વીની બહાર અંતરિક્ષમાં રહેલા એલિયન્સ અને અન્ય જીવ પૃથ્વી માટે આફત સમાન છે. હા, આ જીવ ધરતી પર ભવિષ્યમાં હુમલો કરી શકે છે અને તેનું મુખ્ય કારણ પૃથ્વીવાસીઓની બાયો સિક્યોરિટીમાં અછત હશે.
પૃથ્વીની બહાર અંતરિક્ષમાં રહેલા એલિયન્સ પૃથ્વી માટે આફતરૂપ
આ જીવ ધરતી પર ભવિષ્યમાં હુમલો કરી શકે છે
સંશોધનકારોએ કર્યુ રિસર્ચ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
સંશોધનકારોનું શું કહેવુ છે?
તાજેતરમાં વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધી એલિયન્સ અને બાહ્ય જીવોનો ધરતી પર હુમલો કરવો ફક્ત એક માત્ર કલ્પના હતી. પરંતુ હવે ટૂંક સમયમાં આ કલ્પના હકીકતમાં બદલાઈ શકે છે. આવુ બાયો સિક્યોરિટીમાં બેદરકારીને કારણે થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ આ સંદર્ભે ચેતવણી આપી છે.
કોણે રિસર્ચ કર્યુ
બાયો સાયન્સમાં મેલબર્નના એડિલેડ યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંશોધનકારો મુજબ, સ્પેસ ઈન્ડસ્ટ્રીને કારણે ભવિષ્યમાં બાયો સિક્યોરિટી રિસ્કથી વધુ જોખમ હોવાની આશંકા છે અને બાયો રિસ્ક લાઈવ જીવો માટે ખતરનાક હોઇ શકે છે. સંશોધનકારો જૈવ સુરક્ષા ઉપાયોના મહત્વ પર પ્રકાશ પાડે છે. સંશોધનકારોએ સ્પેસ ઈન્ડસ્ટ્રી દ્વારા સામના કરનારા સંભવિત જૈવ સુરક્ષા જોખમોની વધુ ઓળખ કરવાનું પણ આહ્વાન કર્યુ છે. તેમણે કહ્યું કે વધુ જૈવ સુરક્ષા ઉપાયોના અભાવમાં અંતરિક્ષમાં જનારા લોકો અલૌકિક જીવોને અજાણતા પાછા પૃથ્વી પર લાવી શકે છે.
માણસોએ જીવોને દૂર સુધી પહોંચાડ્યા
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અંતરિક્ષમાં વધતા વેસ્ટથી પૃથ્વીની ચારેય તરફ શનિ જેવો વલય બની શકે છે અને આ પૃથ્વી પર શ્વાસ લેતા જીવ અને મનુષ્યો માટે આફતરૂપ હોઇ શકે છે. પૃથ્વી પરથી અંતરીક્ષમાં જીવોની અવર-જવર અથવા અંતરીક્ષમાંથી પૃથ્વી પર જીવોનું આગમન અંતરીક્ષ જૈવ સુરક્ષા સાથે સંબંધિત છે. અંતરીક્ષમાં જનારા લોકોએ જીવોને દૂર સુધી પહોંચાડ્યા છે.