BCCI ના અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોનીને BCCI ના કોન્ટ્રાક્ટમાંથી બાહર કરવા પર કોઇ પણ પ્રતિક્રિયા આપવા માટે ઇન્કાર કરી દીધો.
મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા ૬ મહિનામાં કોઇપણ ફોર્મેટમાં ક્રિકેટટ રમી રહ્યો નથી, આજ કારણે તેણે બહાર કરવામાં આવ્યો છે પરતુ હજુ પણ ઓસ્ટ્રેલિયામાં થનારા ટી૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થઇ શકે છે.
સૌરવ ગાંગુલીને જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને BCCI ના કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવાના સંબંધમાં સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યુ કે, હું આ અંગે કોઇ પણ પ્રતિક્રિયા આપવા માંગતો નથી.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૫૦ વર્લ્ડકપના સેમિફાઇનલ મેચમાં હાર મેળવ્યા પછી ક્રિકેટથી દૂર છે. જોકે ગુરુવારે રણજી ટીમની સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. આ સિવાય તે ઇન્ડિયન પ્રીમિયર લીગ માં ચેન્નાઇ સુપર કિંગ્સમાં પણ રમતો જોવા મળી શકે છે.
રણજીમાં ઝારખંડની ટીમ આગામી મે રાંચીમાં રવિવારે ઉત્તરાખંડ વિરુદ્ઘ રમશે. ધોનીએ ૯ જૂલાઇના ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમમાં મળેલી હાર પછી કોઇ ઇન્ટરનેશનલ મેચ રમી નથી.
કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર રાખવાને લઇને BCCI ના અધિકારીએ કહ્યુ હતુ કે, છેલ્લો નિર્ણય કરતા પહેલા ધોનીને પૂછવામાં આવ્યુ હતુ. તેણે સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે તેણે લિસ્ટમાં જગ્યા આપવામાં આવી નથી. જોકે સૂત્રોનુસાર, કયા BCCI ના અધિકારીએ ધોની સાથે વાત કરી છે તે અંગે કોઇ જાણકારી મળી નથી.