સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)ની અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક યોજાઇ. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યાં. જો કે કોંગ્રેસના સાંસદોએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાનો વિરોધ કર્યો.
જો કે તેમ છતાં રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદોને કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપશે. આમ રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા અડગ જોવા મળ્યા.
કોંગ્રેસ સાંસદ શશી થરૂર અને મનીષ તિવારીએ રાહુલ ગાંધીના અધ્યક્ષ બની રહેવાના પક્ષમાં તર્ક આપતા જણાવ્યું કે પાર્ટીની હાર માત્ર તમારી જવાબદારી નથી પરંતુ સામૂહિક છ, તેમ છતાં રાહુલ ગાંધી હારની નૈતિક જવાબદારી સ્વીકારતાં અધ્યક્ષ નહીં બની રહેવાના પોતાના નિર્ણયને લઇને અડગ રહ્યાં.
સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસના સાંસદોની બેઠકમાં 51 સાંસદોએ અપીલ કરી, પરંતુ રાહુલ ગાંધીએ તેમની વાત માનવાનો ઇન્કાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં માત્ર કોંગ્રેસને માત્ર 52 બેઠક પર જીત મળી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત 51 સાંસદ ઉપસ્થિત રહ્યાં.
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા અડગ રહ્યાં છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ સાંસદોની બેઠક મળી. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યાં. આ બેઠકમાં સંસદ સત્રને લઈને પણ ચર્ચા કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પીએમ મોદીએ સંસદમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે સંસદમાં પણ પીએમ મોદીના કટાક્ષ બાદ કોંગ્રેસના સાંસદોના મોં પર પણ એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ સંસદમાં ઈમરજન્સી સહિતના અનેક મુદ્દે કોંગ્રેસ અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.