દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર પરના 1200થી વધુ કળશને સુવર્ણ જડિત કરાશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધારે એક ભાગ સુવર્ણ જડિત કરાશે.
દેશનું પ્રથમ જ્યોતિલિંગ અને હિંદુઓની આસ્થાના સોઉથી મોટા પ્રતિક ગણાતું સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરને છેલ્લા 7 વર્ષમાં અનેક કિલો સોનુ દાન મળ્યું છે. જેના કારણે મંદિરને સુવર્ણ જડિત કરવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે હવે સોમનાથ મંદિર પર 1250 જેટલા નાના મોટા કળશ છે જે કળશને હવે સોનાથી મઢવાનું કામ શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની જાહેરાત સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે. લેહરીએ કરી છે.
સોમનાથ મંદિર પરના 1250 જેટલા કળશને સુવર્ણ મઢીત કરાશે તમામ કળશને મઢવા માટે જે સોનાની જરૂર હતી. તે સોનુ અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું છે. દાતાઓએ 21000થી લય સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે.
અમે આપને જણાવી દઈએ કે મુંબઇના દિલીપ લખી પરિવારે ભૂતકાળમાં 110 કિલો સોનુ સોમનાથ મહાદેવને દાન આપ્યું જેમાંથી મંદિરના ગર્ભ ગૃહ, ત્રિશુલ, ડમરુ, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ત્યારે વધારે એક મંદિરનો ભાગ હવે સુવર્ણ જડિત થવા જઈ રહ્યો છે.
કહેવાય છે કે સદિયો પહેલા સોમનાથ મંદિર સોનાનું હતું. જેથી તેના પર અનેકો વખત આક્રમણ થયા અને આખરે તે પથ્થરનું બન્યું પરંતુ હવે સોમનાથનો ફરી સુવર્ણ યુગ શરૂ થયો છે અને ધીમે ધીમે સોમનાથ મંદિર ફરી સોનાનું બની રહ્યું છે.
સોમનાથ મંદિરનો વધારે એક ભાગ સુવર્ણ મઢીત થશે. સોમનાથ મંદિર પરના કળશ સુવર્ણ મઢીત કરાશે. 1250 જેટલા કળશ સોનાથી મઢાસે એક વર્ષમાં કામ પૂરું થશે. દાતાઓ દ્વારા તમામ કળશ મઢવા માટેની રોકડ રકમ દાન આવી. સોમનાથને ભૂતકાળમાં મુંબઇના દિલીપ લખી પરિવારે 110 કિલો સોનુ આપ્યું હતું. દાન અત્યાર સુધીમાં સોમનાથ મંદિર પાસે લગભગ 140 kg સોનુ આવ્યું છે. દાન 110 કિલો સોનુ મંદિરના અલગ અલગ ભાગને સુવર્ણ જડિત કરવામાં ઉપયોગ થયું.