દેશમાં કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનવાની અપીલ કરી છે. દેશ પર આવેલ આપત્તિને અવસરમાં બદલવા માટે સરકાર જનતાને દેશ આત્મનિર્ભર બની જશે તેવા સ્વપ્ન દેખાડી રહી છે ત્યારે નાણા મંત્રાલયના પૂર્વ અર્થશાસ્ત્રી અશોક દેસાઈએ મોદી સરકારના આત્મનિર્ભર અભિયાનમાં આવનાર અડચણ ગણાવ્યા છે.
નાણા મંત્રાલયના પૂર્વ અર્થશાસ્ત્રીએ ગણાવી સરકારની ભૂલો
MSME ની કેટેગરી બદલવાની ફરજ કેમ પડી
પૂર્વ અર્થશાસ્ત્રી અનુસાર નાણામંત્રી ઈરાદા સારા પરંતુ વધુ વિશ્લેષણની જરૂર
નારા નવા પરંતુ પોલીસી જૂની જ
દેસાઈએ કહ્યું કે પીએમ મોદીએ હવે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર અભિયાન એમ બે નારા આપ્યા છે. પરંતુ આ બધું છેવટે તો મેક ઇન ઇન્ડિયા જ છે. અશોક દેસાઈએ અહેવાલમાં સરકાર હુમલો કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 6 વર્ષમાં ઘણા બધા ઇકોનોમિક રિફોર્મ્સ કર્યા પરંતુ આ રિફોર્મ્સથી ભારતનું અર્થતંત્ર વધુ કમજોર બન્યું. સરકાર ગ્લોબલ સપ્લાય ચેનમાં ભારતને લાવવા માંગે છે પરંતુ સરકારે જે નિર્ણયો લીધા તેનાથી ઊંધી અસર પડી છે. દેસાઈએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે મજૂરોને રાહત આપવા માટે બીલ્ડ એન્ડ કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેયર ફંડની વાત કરવામાં આવી છે અત્યાર સુધી સરકાર શું કરી રહી હતી ? આટલું જ નહીં રિઝર્વ બેંકે જે 15000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે તેને પણ હેલ્થ પેકેજમાં ગણવામાં આવી રહ્યું છે.
પહેલેથી જ ખરાબ પરિસ્થિતિમાં છે બેંક
દેસાઈનું માનવું છે કે આજે બેંક પણ પરેશાનીમાં છે જેનું મુખ્ય કારણ સેબી છે. સેબીએ ઈક્વિટી માર્કેટમાં પવાર રેગ્યુલેશન કરીને તબાહી મચાવી દીધી. ભારતની ફર્મની રિસ્ક કેપિટલ ખૂબ ઓછી છે જેના કારણે તે બેંકોથી લોન લે છે અને તે પૈસા ક્યારેય પાછા આવતા નથી તેથી રિઝર્વ બેંક આવા પૈસાની ભરપાઈ કરે છે.
જોકે સરકારે આ સમસ્યાનું સમાધાન હવે શોધી કાઢ્યું છે. સરકારે હાલમાં 20 હજાર કરોડ રૂપિયાના સબઓર્ડિનેટ ડેટબી ભલામણ કરી છે જ્યાં સુધી બાકી લોન પૂરી ન થઇ જાય ત્યાં સુધી તેને પરત કરવાની પણ જરૂર નથી.
MSME ની કેટેગરી બદલવાથી શું ફાયદો ?
દેસાઈનું માનવું છે કે નિર્મલા સીતારમણના ઈરાદા તો નેક છે પરંતુ તેમને વધુ સારા વિશ્લેષણની જરૂર છે. સરકારે ઘણીવાર પબ્લિક સેકટર બેંકને MSMEને મદદ કરવા માટે આદેશ આપ્યા છે પરંતુ કોઈ ફાયદો થઇ રહ્યો નથી. સરકારી બેંક લોન આપવામાં જે મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તેને ધ્યાનમાં રાખીને જ સરકારે ઉદ્યોગોની કેટેગરી બદલવાની ફરજ પડી છે જેથી હવે પ્રાઈવેટ સેકટરની બેંક તેમને લોન આપી શકે. નોંધનીય છે કે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે તો હરીફાઈનો ફાયદો બજારને મળી શકે છે.