સમાધાનકારી વલણ દ્વારા કેસ મીડિએશન સેન્ટરમાં લઇ જવા HCનો ટકોર
સંતો, સાધ્વીઓ, સેવકોના પાસપોર્ટ, મોબાઇલ સુપ્રત કરવા HCનું સૂચન
સોખડા સ્વામીનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ તેમની ગાદીને લઈ હરિભક્તોમાં તથા સંતોમાં સંગ્રામ તેજ બન્યો છે. ત્યારે આ મામલે હવે સમાધાનકારી વલણ દ્વારા કેસ મીડિએશન સેન્ટરમાં લઇ જવા હાઇકોર્ટે ટકોર કરી છે.સંતો, સાધ્વીઓ અને સેવકોના પાસપોર્ટ તથા મોબાઇલ સુપરત કરવા હાઇકોર્ટે સૂચન કર્યું છે. હાઇકોર્ટમા સરકારી વકીલ મારફતે તમામ ચીજવસ્તુઓ સુપરત કરવા આદેશ કર્યો છે. બાકરોલ અને અમદાવાદના આશ્રયસ્થાનોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા આદેશ કર્યો છે. વડોદરા ન્યાયતંત્ર અને પોલીસ હાઇકોર્ટની પ્રશંસા કરી છે.
હાઇકોર્ટે 180 સંતોને સાંભળ્યા
સોખડા સ્વામીનારાયણ મંદિરના વિવાદને લઈ હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ . જેમાં હાઈકોર્ટે 180 સંતોને સાંભળ્યા . હાઈકોર્ટે સુનાવણીમાં નોંધ્યુ છે કે, 4 મહિનામાં સંતોને ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યા છે. કોર્ટે આદેશ કર્યો છે કે, મહિલાઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પમાં રાખવામાં આવે તથા તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સહિતના પુરાવા જમા કરવામાં આવે.
સમાધાનનું વલણ બંને પક્ષ દાખવે: હાઈકોર્ટ
પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીનુ જૂથ ગાદી પ્રાપ્ત કરવા માટે આમને સામને આવી ગયુ હોવાથી કોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, પ્રેમસ્વામી, ત્યાગસ્વામી અને પ્રબોધસ્વામી સમાધાનનુ વલણ દાખવે. આપને જણાવી દઈયે કે, ગાદી પ્રાપ્ત કરવા પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેથી જૂથ વિવાદને પગલે પ્રબોધ સ્વામી સહિતના અન્ય સંતોએ હરિધામ છોડવાનો નિર્ણય લીધો હતો.
ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ
હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી હતી કે જેમાં જણાવ્યું છે કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં ગુજરાત હાઇકોર્ટે આદેશ આપતા સોખડા હરિધામ વિવાદમાં આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા છે તેવી નોંધ લેતા હુકમ કર્યો છે કે આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા તેમજ મહિલાઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે.