સરકાર જીએસટી અંતર્ગત નાના નાના વેપારીઓને વધુ એક મોટી સુવિધા આપવાની તૈયારીમાં છે. જેમાં જીએસટીમાં પંજીકૃત લાખો નાના અને મધ્યમ વેપારીઓને ખૂબ ઓછાં પ્રીમિયમ પર વીમાનો લાભ ઉપલબ્ધ કરાવશે.
સૂત્રો અનુસાર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાઇ)ને આધારે સરકાર આવાં વેપારીઓને દુર્ઘટના વીમા કવર આપવાની યોજના બનાવી રહેલ છે. આને માટે વેપારીઓને ખૂબ ઓછાં પ્રીમિયમની ચુકવણી કરવાની રહેશે. વેપારીઓનું વાર્ષિક ટર્નઓવરનાં હિસાબે દુર્ઘટના વીમાનું કવર નક્કી કરવામાં આવશે કે જે અધિકતમ 10 લાખ રૂપિયા સુધી થઇ શકે છે.
અત્યારે સામાન્ય માનવીને માટે ચલાવવામાં આવી રહેલ પીએમએસબીવાઇમાં બે લાખ રૂપિયાની દુર્ઘટના વીમા કવર ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. જેનું વાર્ષિક પ્રીમિયમ અંદાજે 12 રૂપિયા છે. આ યોજનાનો લાભ 18થી 70 વર્ષ સુધીનો કોઇ પણ નાગરિક ઉઠાવી શકે છે. આને માટે બચત ખાતું હોવું જરૂરી છે અને પ્રીમિયમની રકમ તેઓનાં ખાતામાંથી જ વાર્ષિક આધાર પર કાપી લેવામાં આવે છે.
આ જ માસે જાહેરાત સંભવઃ
સૂત્રોનું કહેવું એમ છે કે સરકાર આ યોજનાની જાહેરાત સંસદમાં બજેટ સત્ર શરૂ થવા પહેલાં કરી શકે છે. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહેલ છે કે આની જાહેરાત જાન્યુઆરીનાં અંત સુધી જ કરી શકાય છે. આ વીમા યોજનાનો નમૂનો યૂપી સરકાર દ્વારા પ્રદેશનાં નાના વેપારીઓને માટે ચલાવવામાં આવી રહેલ યોજનાને આધારે તૈયાર કરવામાં આવી શકે છે.
વીમાને અતિરિક્ત સરકાર નાના વેપારીઓને ઓછાં વ્યાજ પર લોનની સુવિધા આપવા પર વિચાર કરી રહેલ છે. આ અંતર્ગત જે વેપારી પોતાનાં વેપારને અપગ્રેડ કરીને કંપ્યૂટરીકૃત બનાવવા ઇચ્છે ચે અથવા તો તેનો વિસ્તાર કરવા ઇચ્છે છે તેઓને લોનનાં વ્યાજ પર બે ટકા છૂટ આપવામાં આવશે.
હાલમાં 59 મિનીટમાં જ મળી રહેલ છે લોનઃ
સરકારે ગયા વર્ષે નાના વેપારીઓને માટે અંદાજે 59 મિનીટમાં એક કરોડ રૂપિયા સુધીની લોનની સુવિધા શરૂ કરી હતી. આ અંતર્ગત શ્રમ કાયદામાં છૂટછાટ સહિત અનેક પ્રકારનાં નિયમોને સરળ બનાવ્યાં હતાં. સરકાર અનુસાર અત્યાર સુધી આ યોજના અંતર્ગત 12 હજાર કરોડ રૂપિયાની લોન વહેંચણી કરી દેવાઇ છે.