ભારતમાં 30,000 એકરમાં સીતાફળની ખેતી થાય છે અને કુદરતી રીતે પણ તે જંગલવાડો વગેરેમાં જોવા મળે છે જેમાંથી 2.28 લાખ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 5.340 હેકટરમાં સીતાફળની ખેતી થાય છે જેમાંથી55,040 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મળે છે જે આખા ભારતમાં સૌથી વધુ છે. તેથી ગુજરાતમાં સીતાફળની આડપેદાશનો ઉપયોગ કરવાની ખુબ જ સારી એવી તકો રહેલી છે.
ખેતીની વાત - Gayatri Joshi
સીતાફળના પાન તથા કુણી ડાળીઓમાં એનાનોઈન નામનું કડવું રસાયણ હોય છે
જેના કારણે પશુઓ તેને ખાતા નથી
સીતાફળની ખેતી ઉત્તમ કીટનાશક અને શેઢા રક્ષક છે સીતાફળ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનારના ફાર્મ મેનેજર હેપીલ ભાઈ છોડવાડિયા આ વિશે જણાવે છે કે, ઝીરો મેન્ટેન્સ ખેતી એટલે સીતાફળ, અને કમાણી તેના પાંદડાથી લઈને બીજ તમામ ઉપયોગી છે. આ ઉપરાંત ફળધારણ અને ઉત્પાદન વધારવાં વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરી શકાય. સીતાફળ એ સ્વાદિષ્ટ ફળની સાથે સાથે એક ઉપયોગી કીટનાશક (insecticide) પણ છે.
સીતાફળના બીજ, પાંદડા, છાલ અને મૂળમાં રહેલા રાસાયણિક તત્વો ખૂબ અસરકારક જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. સીતાફળના બીજમાં એસિટોજેનીન નામનો પદાર્થ હોય છે જે કીટનાશક, ચેતાતંત્ર, મેદકારક, જીવાણુનાશક વગેરે ગુણધર્મો ધરાવે છે. આ ઉપરાંત સીતાફળના પાનનો અર્ક વિવિધ પ્રકારના ઉત્સચકને સક્રિયતા બક્ષતાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે જેના પરિણામે ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. સીતાફળ મૂળે જંગલી વૃક્ષ છે અને શેડા રક્ષક તરીકે તે સફળ છે.
શું કહે છે ખેડૂત
સાબરકાંઠાના ઈડર તાલુકાના જાગર ગામના પ્રગતીશીલ ખેડૂત મીતેશકુમાર મહેન્દ્ર કુમાર વ્યાસે આ વખતે 4થી 5 વિઘામાં ગોલ્ડન સીતાફળની ખેતી કરી છે. તેમણે પહેલીવાર આ ખેતી કરી છે. સંપૂર્ણ ઓર્ગોનેકી ગાય આધારિત જીવામૃત ખેતી કરીને મીતેશ ભાઈએ સીતાફળની સાથે સાથે એરંડા, કપાસ, કારેલા, ડુંગળી જેવા આતંર પાકો પણ લીધા છે. તેમણે મહારાષ્ટ્રથી ખાસ રોપા મંગાવીને આ ખેતી શરૂ કરી છે.
પાકનું મહત્વ
સીતાફળ પાનખર પ્રકારનો સુકા અને અર્ધસુકા વિસ્તાર માટેનો ખૂબ જ અગત્યનો પાક છે. આ પાક ખડતલ પ્રકારનો, ખારી–ભાસ્મીક કે ક્ષારવાળી જમીન તેમજ દૂષ્કાળ સહન કરી શકતો પાક છે. આમ આ પાક બધાજ પ્રકારની જમીન તેમજ ભિન્ન પ્રકારના વાતાવરણમાં અનુકુળ છે. આ પાક ફેબ્રુઆરી–માર્ચ દરમ્યાન તમામ પાંદડા ખેરવી નાંખી આરામમાં જાય છે અને તેથીજ તે સુકા અને અર્ધસુકા વિસ્તાર માટે વધુ અનુકુળ છે.
સીતાફળનું મૂળ વતન અમેરિકા માનવામાં આવે છે. ભારતનાં પ્રાચીન સાહિત્યમાં પણ સીતાફળનાં પ્રમાણો જેાવા મળે છે. પુરાણી શિલ્પ કળાઓ તથા ચિત્રોમાં સીતાફળ દર્શાવાયેલા જોવા મળે છે. આ પાકનું વાનસ્પતિક નામ એનોના સ્કવામોસા F ( Annona squamosa ) છે. તે એનોનેસી ( Annonaceae ) કુળની વનસ્પતિ છે. તેના પાન તથા કુણી ડાળીઓમાં એનાનોઈન નામનું કડવું રસાયણ હોય છે, જેના કારણે પશુઓ તેને ખાતા નથી.
સીતાફળના પાકનું મહત્વ ખુબ જ છે. આ ફળના માવામાં ખાસ કરીને ખાંડ (20-25%), પ્રોટીન(1.5%), ફાયબર(6.6%), કેલ્શીયમ(17.6–27 મી.ગ્રા) ફોસ્ફરસ(14–32 મી.ગ્રા), લેાહ (1.14 મી.ગ્રા), વીટીમીન સી (15–44 મી.ગ્રા) હોય છે. આમ આ પાક ઘણા બધા પોષક તત્વો સારી એવી માત્રામાં ધરાવે છે.
સીતાફળ આરોગ્યની દ્રષ્ટિએ ઠંડક આપનાર, ધાતુપુષ્ટિ કરનાર, વાતપિત તથા દાહને મટાડનાર તથા માંસ અને લોહી વધારનાર છે. આ ફળનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવામાં પણ થાય છે. સીતાફળનાં બીજમાં લગભગ 3 ટકા જેટલું તેલ હોય છે. જે જંતુધ્ન હોવાથી રંગકામ, સાબુ બનાવવા તથા અન્ય ઉપયોગમાં પણ લઈ શકાય છે. સીતાફળ ખૂબ જ મીઠા સ્વાદિષ્ટ હોય છે.
સીતાફળના ઉપયોગો
સામાન્ય રીતે આ પાકના તાજા ફળોનો ખાવામાં ઉપયોગ થાય છે.
આઈસ્ક્રીમ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.
તેના પાંદડા ટેનીન તેમજ બ્લ્યુ અને કાળા કલરનો રંગ બનાવવામાં ઉપયોગી છે.
સીતાફળના પાંદડાનો ઉકાળો, કૃમિ તેમજ પાંદડામાંથી બનાવેલ પેસ્ટ ચાંદા મટાડવામાં કામ લાગે છે.
કાચા ફળોમાં પણ ટેનીનની માત્રા હોય છે જેની સુકવણી કરી પાવડર બનાવવામાં આવે છે. જે અતિસાર અને મરડો મટાડવામાં કામ લાગે છે.
સીતાફળની ડાળીઓની છાલનો ઉકાળો પણ ટોનીક તરીકે તેમજ મરડો મટાડવા માટે ઉપયોગી છે.
પાંદડા, છાલ અને લીલા ફળનો ઉકાળો પણ બનાવવામાં આવે છે.
સીતાફળનું પ્રસર્જન બે રીતે થાય છે.
બીજથી
કલમ બનાવીને
બીજથી પ્રસર્જન :
સારા પરિપકવ ભરાવદાર પાકા ફળોમાંથી બીજ કાઢી, સૂકવી ભેજ રહિત જગ્યાએ રાખી ત્યારબાદ એપ્રિલ માસનાં ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં ગાદી કયારા કે સપાટ કયારા બનાવી અથવા નર્સરીમાં પ્લાસ્ટીકની થેલીઓ (૧૦×૧પ સે.મી.)માં ખાતર માટીનું મિશ્રણ ભરી બીજ રોપી રોપ ઉછેરવામાં આવે છે. જે રેાપા ર૦–રપ સેમી ની ઉંચાઈના થતાં અને ચેામાસું બેસતા ખેતરમાં રોપવામાં આવે છે. આ ઉપરાંત સીધા બીજથી પણ વાવી શકાય જેથી રોપાના સેાટી મુળ જમીનમાં ઉંડે સુધી જઈ શકે.
કલમથી પ્રસર્જન :
સીતાફળનું ખાસ કરીને આંખકલમ, ભેટકલમ તથા ફાચર કલમથી પ્રસર્જન થઈ શકે છે. કલમ રામફળ, લક્ષ્મણફળ કે સીતાફળનાં મૂલકાંડ પર કરી શકાય છે. માર્ચ એપ્રિલમાં ફાચર કલમથી પ્રસર્જન કરવાથી કળી વહેલી ફૂટે છે અને કલમની સફળતા પણ મળે છે તથા કલમની વૃધ્ધિ પણ સારી થાય છે. રોપણી વખતે સામાન્ય રીતે કલમથી પ્રસર્જન કરેલ કલમોનીજ પસંદગી કરવી વધુ હીતાવહ છે. આ ઉપરાંત રોપાઓ પસંદ કરતા હોય ત્યારે જે તે જાતની ચકાસણી કરીનેજ રોપા/કલમો પસંદ કરવા જોઈએ. ઘણી વખત જંગલખાતાની નર્સરીમાંથી રોપાઓ પસંદ કરી ઉપયોગ કરવામાં આવે છે. જે યોગ્ય નથી. કારણ કે આવા રોપાઓ વનીકરણના ધ્યેય માટે બનાવેલ હોય જેની જાતની શુધ્ધતા હોતી નથી.
રોપણી પધ્ધતિ :
સીતાફળ પાકની રોપણી સામાન્ય રીતે ચોરસ પધ્ધતિથી પ×પ મીટર અથવા ૬×૬ મીટરનાં અંતરે કરી શકાય છે. સૂકા વિસ્તારમાં ૪ થી પ મીટર અંતર પણ રાખી શકાય છે.સીતાફળનાં વાવેતર માટે અંતર નકકી થયા પછી દરેક જગ્યાએ 60×60×60 સે.મી.(લાંબા, ઉંડા,પહોળા) ખાડા ખોદી ઉનાળામાં એક માસ સુધી તપવા દેવા. ત્યારબાદ ખાડા દીઠ 10 કિલો સારૂં કહોવાયેલું છાણિયું ખાતર, માટી સાથે ભેળવી ખાડા ભરી દેવા. જો ભારે કાળી માટી હોય તો બે તગારા રેતી અથવા નદીનો કાંપ ભેળવી ખાડા ભરવા. ચોમાસાનો સારો વરસાદ થયા બાદ ખાડાની બરાબર મધ્યમાં કલમ કે રોપનું વાવેતર કરવું. રોપેલ કલમ કે રોપ ટટારઉભો રહે તે માટે થડની આસપાસની માટી બરાબર દબાવવી અને કલમ કે રોપને લાકડાનો ટેકો આપી બાંધવી અને તૂરત જ પાણી આપવું. આ ઉપરાંત ચોમાસામાં અતિભારે વરસાદ હોય તો ખામણામાં પાણી ભરાય ન રહે તેની પણ કાળજી રાખવી.
ખાતર વ્યવસ્થા
સીતાફળનો પાક ખૂબ જ ખડતલ પ્રકારનો હોવાથી તેને ખાતરની ખાસ જરૂરીયાત નથી. પરંતુ વધારે અને સારી ગુણવતા વાળું ઉત્પાદન મેળવવા ચોમાસા પહેલા ઝાડ દીઠ ૧૦ થી ૧પ કિલો છાણિયું ખાતર નાંખવું. આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ નાઈટ્રોજન ર૦૦ ગ્રામ, ફોસ્ફરસ ૧૦૦ ગ્રામ, પોટાશ પ૦ ગ્રામ તેમજ એજોટોબેકટર+ફોસ્ફોબેકટર ૩૦ ગ્રામ, ૧પ કિલો છાણિયા ખાતરમાં મીક્ષ કરી ચોમાસુ બેસે ત્યારે આપવું. આ ઉપરાંત અન્ય એક ભલામણ મુજબ રાસાયણિક ખાતર ઘટાડી દિવેલીનો ખોળનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નાઃ ફોઃપોઃ ૧૦૦: પ૦: રપઃ ગ્રામ પ્રતિ ઝાડ સાથે ર.પ કીલો દીવેલીનો ખોળ આપવો. વરસાદ આધારીત સીતાફળની ખેતી કરતા ખેડુતો માટે નાઃ ફોઃપોઃ ર૦૦:૧૦૦: ર૦૦: ગ્રામ પ્રતિ ઝાડ ની ભલામણ છે.
પિયત વ્યવસ્થા
પધ્ધતિસરનું વાવેતર કરેલ હોય ત્યારે છોડનાં વિકાસ માટે શરૂઆતનાં ત્રણ થી ચાર વર્ષ સુધી આખા વર્ષ દરમ્યાન પાણી આપવું જરૂરી છે. આ પાકમાં ફળો બેસવાના ચાલુ થયા બાદ દર વર્ષે ચોમાસામાં ફળો બેસે છે. જેથી ચોમાસા દરમ્યાન વરસાદનાં પાણીથી પૂરતો ભેજ મળી રહે છે. એટલે આ પાકને ખાસ પાણીની જરૂરીયાત રહેતી નથી. આમ છતાં ચોમાસાની આખરમાં ર–૩ પિયત આપવામાં આવે તો ફળોની ગુણવતા સુધરે છે અને ઉત્પાદન સારૂં મળે છે. તેમજ ફળોનાં વિકાસ કાળ દરમ્યાન પણ જો પાણીની અછત હોય તો પાણી આપવામાં આવે તો ઉત્પાદનમાં ફાયદો થાય છે. અનિયમિત પાણી આપવાથી ફળો ફાટી જવાની શકયતા રહે છે. પાણી સામાન્ય રીતે ધેારીયા ખામણા પધ્ધતિથી આપવામાં આવે છે. આમછતાં ટપક પધ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે.
આંતરપાકો
સીતાફળનો પાક અન્ય ફળ પાકોની જેમ ૪ થી પ વર્ષે આવવાનો શરૂ થાય છે. એટલે કે શરૂઆતના વર્ષો દરમ્યાન સીતાફળના પાકમાં ઝાડ નાના હોય ત્યારે આંતરપાકો જેવા કે મરચા, ભીંડા, ચોળી વગેરે ટુંકા ગાળાના પાક લઈ વધારાની આવક મેળવી શકાય છે. ફળો આવવાના શરૂ થયા બાદ ઝાડનો ઘેરાવો વધી જતો હોય તેમજ આંતરપાકની જરૂરીયાત તેમજ સીતાફળના પાકની જરૂરીયાત અગલ હોવાથી આંતરપાક લેવો હીતાવહ નથી.
કેળવણી અને છાંટણી
સીતાફળના વાવેતર બાદ શરૂઆતના વર્ષો દરમ્યાન ઝાડને વ્યવસ્થિત આકાર આપવા માટે કેળવણીની ખાસ જરૂરીયાત રહે છે. જેમાં તેનું થડ અંદાજે ૩ ફુટ થવા દેવું. એટલે કે જમીનથી ૩ ફુટ સુધીના થડ સુધી નિકળતી ડાળીઓ દર વર્ષે કાપતા રહેવું. ૩ ફુટ બાદ એકજ દીશામાં ન હોય તેવી ૩–૪ ડાળીઓનો જ વિકાસ થવા દેવો. જેથી ઝાડનો આકાર સારો થાય. આ ઉપરાંત દર વર્ષે પાણી પીલા તેમજ રોગીષ્ટ અને સુકી ડાળીઓ કાઢતા રહેવું.
સીતાફળનો પાક પાનખર પ્રકારનો હોવાથી કુદરતી રીતે જ છાંટણી થઈજાય છે. જેથી છાંટણી કરવાની બહુ જરૂર રહેતી નથી. આમ છતાં ગત ચોમાસા દરમ્યાનની વધારાની વૃધ્ધી દુર કરવા જરૂર જણાય તો હળવી છાંટણી કરવી. તેમજ થડની આજુબાજુની ફુટો અને પાણી પીલા કાઢતા રહેવું. જેથી ઝાડનો આકાર જળવાઈ રહે અને વિકાસ સારો થાય.
સીતાફળનો પાક ખડતલ હોય અન્ય કાળજીઓની ખાસ જરૂરિયાત પડતી નથી. પરંતુ વધારે વૃધ્ધિ અને ઉત્પાદન મેળવવા ઉનાળામાં સીતાફળનાં બગીચામાં આડી ઉભી ખેડ કરવી. ચોમાસામાં ખામણાં ચોખ્ખા રાખવા, ગોડ કરવો અને વધારાનાં પાણીનો નિકાલ કરવો. સુકા વિસ્તારમાં વરસાદ આધારીત સીતાફળમાં ઓગષ્ટ–સપ્ટેમ્બરમાં ઘઉંના પરાળનું આવણ કરવું.
પાક સંરક્ષણ
સીતાફળનો પાક ખડતલ હોઈ સામાન્ય રીતે રોગ–જીવાત જોવા મળતા નથી. જીવાતોમાં કયારેક ચિકટો (મીલીબગ) જોવા મળે છે. જે સીતાફળનાં પાન, કુમળી ડાળીઓ અને ફળમાંથી રસ ચૂસીને નૂકશાન કરે છે. ચિટકાના નિયંત્રણ માટે નીચે મુજબના પગલા ભરવા.
વર્ષમાં બે વખત એટલે કે ફળો ઉતાર્યા બાદ અને ઉનાળા દરમ્યાન થડને ગેાડ કરી ખૂલ્લા કરવા તેમજ ખામણામાં રહેલ પાંદડા વગેરે જેવો કચરો દુર કરી ચોખ્ખા રાખવા. તેમજ ખામણામાં મીથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકીનો છંટકાવ કરવો.