બ્રિટનમાં થયેલા એક સ્ટડીમાં જણાવાયું છે કે ઓક્સફોર્ડ, ફાઈઝર કે બાયોએેનટેકની વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ કોરોનાનો ખતરો 65 ટકા જેટલો ઓછો થઈ જાય છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સ્ટડીમાં થયો ખુલાસો
વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ કોરોનાનો ખતરો 65 ટકા ઓછો થાય છે
પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાય છે.
વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ ઓછામાં ઓછું 6 મહિના સુધી કોરાનાથી રક્ષણ મળે છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ઓફિસ નેશનલ સ્ટેટિસ્ટિક દ્વારા કરાયેલા બે સ્ટડીમાં જણાવાયું છે કે વેક્સિનનો એક ડોઝ વૃદ્ધો, યુવાનો અને તંદુરસ્ત લોકોમાં ચેપના પ્રમાણમાં ઘણો ઘટાડો કર્યો છે.
પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાય છે
વેક્સિનના બે ડોઝ અપાય છે પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાય છે. બીજી તરફ વોશિંગ્ટન યુનિવર્સિટીના ટોચના વેક્સિન વૈજ્ઞાનિક ડેબોરાહ ફ્યુલરે જણાવ્યું કે વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ ઓછામાં ઓછું 6 મહિના સુધી કોરાનાથી રક્ષણ મળે છે.વૈજ્ઞાનિક ડેબોરાહ ફ્યુલરે જણાવ્યું કે વેક્સિની અસર વિશે હજુ પણ અમારુ સંસોધન ચાલુ છે. કોરોનાના સામે આવી રહેલા તમામ સ્વરુપોની સામે વેક્સિન કેટલી અસરકારક નીવડશે તે વાત વેક્સિનના કેટલાક વધારે ડોઝની જરુર છે તેની પર નિર્ભર છે.અમે રસી લીધેલા લોકોનો અભ્યાસ કરી રહ્યાં છીએ અને અને જોવાનું શરુ કર્યું છે કે વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ ક્યાં સુધી તેની અસર જળવાઈ રહે છે.
ફાઈઝરની વેક્સિન છ મહિના સુધી કોરોનાથી રક્ષણ કરી શકે
ફાઈઝરની વેક્સિનના બન્ને ડોઝ ઓછામાં ઓછું છ મહિના સુધી લોકોનું કોરોનાથી રક્ષણ કરી શકે છે. તેમણે કહ્યું કે આ વેક્સિનના ડોઝ લીધા બાદ થોડા સમય સુધી કોરોનાનો ડર ખતમ થઈ શકે છે. તે ઉપરાંત મોડર્નાની વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી પણ 6 મહિના સુધી કોરોનાનો ચેપ લાગતો નથી.
મોડર્ના વેક્સિનથી તૈયાર એન્ટી બોડી 6 મહિના સુધી શરીરમાં રહે છે.
તેમણે કહ્યું કે મોડર્ના વેક્સિનથી તૈયાર એન્ટી બોડી 6 મહિના સુધી શરીરમાં રહે છે. તે ઉપરાંત જાણકારોનું એવું પણ કહેવું છે કે એન્ટી બોડીની ઉપરાંત આપણી રોગ પ્રતિકાર શક્તિ પર પણ નિર્ભર કરે છે કે આપણને કોરોનાનું કેટલું જોખમ રહેશે. સારી રોગ પ્રતિકાર શક્તિ ધરાવતા લોકોને પણ ફરી વાર કોરોના થાય છે પરંતુ તેઓ જલદીથી સાજા થઈ જાય છે. આવા લોકો કોરોનાને ભલેને પૂરો હરાવી ન શકતા હોય પરંતુ તેની ઘાતકતા ઘણી ઓછી કરી નાખે છે.
વેક્સિન કોરોનાની સામે આજીવન રક્ષણ આપતી નથી-વેક્સિન વૈજ્ઞાનિકો
વેક્સિન વૈજ્ઞાનિકોનું એવું પણ કહેવું છે કે વેક્સિન કોરોનાની સામે આજીવન રક્ષણ આપી શકતી નથી. તે ઉપરાંત કોરોનાના નવા સ્વરુપો પણ ચિંતાનો વિષય બન્યાં છે. જે પછી બે ડોઝ પછી પણ વધારાના ડોઝની જરુર પડે છે. એમોરી વેક્સિન સેન્ટર સાથે જોડાયેલા મેહુલ સુથારે જણાવ્યું કે જો વાયરસના મ્યુટેંટ બદલાતા રહેતા હોય તો વેક્સિનને પણ અપડેટ કરવાની જરુર હોય છે.