બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Singer KK's demise: Case of unnatural death registered, post-mortem to be conducted in Kolkata today
ADVERTISEMENT
સિંગર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે. તેના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ કેકેના મૃત્યુના સંબંધમાં આયોજકો અને હોટલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુદાસ મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અને આ ફેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું – ઉત્કર્ષ 2022. કાર્યક્રમનું આયોજન નઝરૂલ મંચમાં કરવામાં આવ્યું હતું. હાલ ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે સંગીતકારનું મૃત્યુ શારીરિક બિમારીને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર.
Singer KK's demise: Case of unnatural death registered, post-mortem to be conducted in Kolkata today
— ANI Digital (@ani_digital) June 1, 2022
Read @ANI Story | https://t.co/NVcPXBcbfO#KK #SingerKKDeath #Singer_KK #Postmortem pic.twitter.com/kK5Ru073GE
ADVERTISEMENT
ગાયક કેકેના મૃત્યુ પર પ્રશ્ન
ADVERTISEMENT
ગાયક કેકેના મોત પર સવાલો ઉઠી રહ્યા છે. બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જે રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે યોગ્ય નથી, તેની તપાસ થવી જોઈએ. દિલીપ ઘોષે વધુમાં કહ્યું કે એસી વગર અને આટલી ભીડમાં કેવી રીતે કામ કરવું પડ્યું. તેણે કહ્યું કે ક્ષમતા કરતા વધારે ભીડ હતી અને એસી બંધ હતું. આ કારણોસર તેમની તબિયત બગડી કે નહીં તે જાણવા મળ્યું નથી.
કોલકાતામાં લાઈવ કોર્ન્સટ પછી મૃત્યુ થયું
ADVERTISEMENT
બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું મંગળવારે રાત્રે કોલકાતામાં અવસાન થયું. તેઓ કેકે તરીકે પ્રખ્યાત હતા. કેકે 53 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કોલકાતામાં નઝરૂલ મંચ ખાતે એક કોલેજ દ્વારા એક લાઈવ કોર્ન્સટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેકે લગભગ એક કલાક સુધી ગીત ગાયા પછી તેમની હોટેલમાં પાછા ફર્યા ત્યારે તેઓ અસ્વસ્થ હતા.
Singer KK has died in Kolkata: officials
— Press Trust of India (@PTI_News) May 31, 2022
ADVERTISEMENT
કેકેની તબિયત લથડતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો
ADVERTISEMENT
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે ગાયકને દક્ષિણ કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “કેકેને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે કમનસીબી છે કે અમે તેમની સારવાર કરી શક્યા નથી. હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે ગાયકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે બુધવારે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયક કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.