વડોદરા / સગીરા પર દુષ્કર્મ મામલે બેનર અને પોસ્ટર સાથે મૌન રેલી

વડોદરામાં સગીરા પર દુષ્કર્મના મામલે 5 દિવસ બાદ પણ આરોપી પકડાયા નથી. આથી ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો મૌન રેલીમાં જોડાયા હતાં. બેનર અને પોસ્ટર સાથે રેલીમાં લોકો જોડાયા હતાં. આરોપીઓ વહેલી તકે પકડવા લોકોએ માંગ કરી છે. આ આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે સાંસદ અને ધારાસભ્યએ સગીરાના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. પોલીસે ત્રીજી વાર થ્રિડી સ્ક્રેચ જાહેર કર્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનીષા વકીલે પણ મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ