આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને કારણે પંજાબમાં હિન્દુ અને શીખ સંગઠનો એકબીજાની સામે આવી ગયા છે.
લાલ સિંહ ચડ્ઢાએ થિયેટરોમાં એન્ટ્રી આપી દીધી
હિન્દુ સંગઠન આમિર ખાન અને તેની ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે
બીજી તરફ શીખ સંગઠનો બોલિવૂડ સ્ટારનો પૂરતો સપોર્ટ કરી રહ્યા છે
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાએ થિયેટરોમાં એન્ટ્રી આપી દીધી છે. ઘણા વિવાદોની વચ્ચે ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે અને દર્શકો ફિલ્મને સારી ગણાવી રહ્યાં છે. જો કે, કેટલાંક લોકો તેને બૉયકૉટ પણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં સતત આ ફિલ્મના વિરોધમાં અભિયાન ચાલી રહ્યું છે. પણ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને કારણે પંજાબમાં હિન્દુ અને શીખ સંગઠનો એકબીજાની સામે આવી ગયા છે.
એક બાજુ હિંદુ સંગઠનો આમિર ખાન અને તેની ફિલ્મ પર દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવીને તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે શીખ સંગઠનો બોલિવૂડ સ્ટારનો પૂરતો સપોર્ટ કરી રહ્યા છે. શીખ સંગઠનનું કહેવું છે કે આ ફિલ્મ એક શીખ કેરેક્ટર પર આધારિત છે અને હિન્દુએ આ વાતનો વિરોધ ન કરવો જોઈએ. આ વાતને લઈને જલંધર શહેરમાં તણાવપૂર્વક માહોલ થઈ ગયો હતો.
જલંધર શહેરમાં આ ફિલ્મ PVR સીનેમામાં લાગેલ છે અને ગુરુવારે સવારે આ ફિલ્મનો શો શરૂ થતાની સાથે જ શિવસેના અને અન્ય હિન્દુ સંગઠનોના લોકો મોલની બહાર જમા થઈ ગયા હતા. જો કે આવા રસાકસીવાળા માહોલને જોતા પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. ઘણા કલાકોના વિરોધ પછી અંતે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નો શો બંધ કરવામાં આવ્યો હતો.
જો કે આ પછી હિન્દુ નેતાઑ પછી શીખ કમેટીના સભ્યો ત્યાં પંહોચી ગયા હતા અને શો રોકવા પર વિરોધ કરવા લાગ્યા હતા. એમનું કહેવું છે કે આમિર ખાને એક શીખ પર ફિલ્મ બનાવી છે અને જો હિન્દુ સંગઠન આ ફિલ્મનો વિરોધ કરશે તો શીખ સમુદાય તેનો જવાબ પણ આપશે. શીખ સમુદાયે શિવસેનાને ચેતવણી આપતા કહ્યું છે કે પંજાબમાં ફિલ્મને રોકીને બતાવો, આખું શીખ સમુદાય તમારા વિરોધમાં ઉતરી આવશે.
બીજી તરફ શિવસેનાનું કહેવું છે કે ફિલ્મ પીકે માં આમિર ખાને હિન્દુ દેવી-દેવતાનું અપમાન કર્યું હતું એટલા માંતે એ લોકો આમિર ખાન સામે પ્રદશન કરી રહ્યા છે. તે લોકોને ફિલ્મ ક શીખ સમુદાય સામે ખોઈ જ વાંધો નથી.