પંજાબ ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. પણ કોંગ્રેસની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતું. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખળભળાટ જોવા મળ્યો હતો.
પંજાબમાં ડખ્ખાના એંધાણ
નવજોત સિંહ સિદ્ધુ પ્રચાર છોડી વૈષ્ણો દેવી ઉપડી ગયા
આખા દિવસનું શિડ્યૂલ પડતું મુકી રવાના થયાં
પંજાબ ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. પણ કોંગ્રેસની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતું. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખળભળાટ જોવા મળ્યો હતો. બુધવારે સવારે પહેલા તો પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સીનલ જાખડે કહ્યું કે, સીએમ બનવા માટે તેમની પાસે 42 ધારાસભ્યોનું સમર્થન હતું અને બાદમાં સાંજ થતાં થતાં પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ અચાનક ચૂંટણી પ્રચાર છોડીને વૈષ્ણો દેવી દર્શને પહોંચી ગયા હતાં. તેમના કુલ 10 કાર્યક્રમો હતા. આ આખા ઘટનાક્રમમાં સીએમ પદના ઉમેદવારથી લઈને સુનીલ જાખડ, સીએમ ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુની વચ્ચે ચાલી રહેલા ધમાસાણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
On my way to Mata Vaishno Devi… The eternal grace of the divine mother has always protected me on this path of Dharma… At her lotus feet for blessings… Dushtaan da vinaash kr, Punjab da Kalyaan kar… Sach Dharam di sathapana kr… pic.twitter.com/gisDltSkdz
બુધવારે સિદ્ધુને કુલ 10 કાર્યક્રમ નિર્ધારિત હતા. તેઓ કેટલીય જગ્યાઓ પર સભાને સંબોધન કરવાના હતા. સવારે ડીસીસીના પૂર્વ પ્રધાન તથા કોર્પોરેટર જતિંદર સોનિયાના નિવાસ પર રાખેલા કાર્યક્રમમાં તેઓ પહોંચી શક્યા નહીં. ત્યારે અચાનક સમાચાર આવ્યા કે, તેઓ તો વૈષ્ણો દેવી જવા રવાના થઈ ગયા છે.
આજે સાંજે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સીએમ ચહેરો કોણ હશે, તેના પર મહોર લાગવાની છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ ચરણજીત સિંહ ચન્નીને જ પંજાબમાં પોતાનો સીએમ ચહેરો જાહેર કરી શકે છે. આ અંગે આજે સાંજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.