રાજસ્થાનમાં તેમના લગ્ન માટે, કપલે લગભગ 100-150 મહેમાનોને આમંત્રણ આપ્યું છે. સિદ્ધાર્થ અને કિયારા દ્વારા હોટલમાં નો-ફોન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે મહેમાનોને સોશિયલ મીડિયા પર કોઈપણ તસવીરો શેર ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
સ્ટાર કપલે લગભગ 100-150 મહેમાનોને આમંત્રણ આપ્યું છે
આ સ્ટાર કપલના લગ્ન 8 ફેબ્રુઆરીના રોજ થશે
લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ઉજવણી શરુ થઈ ગઈ છે. આજથી પ્રી-વેડિંગ સેલિબ્રેશન જેમ કે હલ્દી, મહેંદી અને સંગીત સાથે શરૂ થયું છે. કિયારા અડવાણી લગ્નમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગામાં જોવા મળશે. આ સ્ટાર કપલના લગ્ન 8 ફેબ્રુઆરીના રોજ થશે. આ પહેલા મીડિયા અહેવાલ હતા કે લગ્ન 7 તારીખે થશે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી જેસલમેર એરપોર્ટ પર જોવા મળી હતી. ઈશા બોલિવૂડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે.
ઈશા અને કિયારા બાળપણની મિત્ર છે
ઈશા કિયારા અડવાણીની કોલેજ ફ્રેન્ડ છે, બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. ઈશા અંબાણી એરપોર્ટ પર સંપૂર્ણપણે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. ઈશા અંબાણી રોયલ લૂકમાં પહોંચી હતી. ઈશા એરપોર્ટ પર ચમકતા ડાયમંડ નેકલેસ, ક્રીમ કલરના આઉટફિટમાં અને ફુલ સ્ટાઇલમાં જોવા મળી હતી. આ દરમિયાન આનંદ પીરામલ પણ તેમની સાથે બ્લેક સૂટ બૂટમાં જોવા મળ્યા હતા. ઈશા અને કિયારા બાળપણની મિત્ર છે, બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારથી બંને વચ્ચે મિત્રતા હતી. અંબાણી પરિવાર લગ્નમાં જોડાઈ શકે તેવી અટકળો પહેલાથી જ હતી. હાલમાં, ઈશા ફ્રેન્ડ કિઆરા અડવાણીના લગ્નમાં હાજરી આપવા રાજસ્થાનના જેસલમેર પહોંચી છે.
100-150 મહેમાનોને આમંત્રણ આપ્યું છે
રાજસ્થાનમાં તેમના લગ્ન માટે, કપલે લગભગ 100-150 મહેમાનોને આમંત્રણ આપ્યું છે. સિદ્ધાર્થ અને કિયારા દ્વારા હોટલમાં નો-ફોન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે મહેમાનોને સોશિયલ મીડિયા પર કોઈપણ તસવીરો શેર ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. કેટલાક વર્ષો સુધી ડેટિંગ કરવા છતાં, સિદ્ધાર્થ અને કિયારાએ હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. સિદ્ધાર્થ અને કિયારાનો ઓનસ્ક્રીન રોમાંસ 'શેરશાહ'થી શરૂ થયો હતો અને આ જોડીએ કેમેરાની બહાર તેમની લવ સ્ટોરી ચાલુ રાખી હતી. આ કપલ એક પરિણીત યુગલ તરીકે તેમના પ્રથમ લગ્નના ફોટા સાથે તેમના રોમાંસની જાહેરાત કરશે.
લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા
આજથી વિધિઓ શરૂ થઈ ગઈ છે. લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ આજે સિદ્ધાર્થ અને કિઆરાની મહેંદી સેરેમની છે. મહેમાનો માટે 84 રૂમ અને 70 લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા છે. લગ્નની વિધિ દરમિયાન કોઈને ફોન અંદર લઈ જવાની મંજૂરી નથી.