બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / આરોગ્ય / side effects of strawberry Health Tips

Health Tips / અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે સ્ટ્રોબેરી, હાર્ટના દર્દીઓ સેવન કરતા પહેલા વાંચી લેજો

Arohi

Last Updated: 05:24 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈ પણ ફળનું સેવન જરૂર કરતા વધારે કરો છો તો તે તમને ફાયદાના બદલે નુકસાન કરશે. ફળો ચોક્કસ માત્રામાં જ ખાવા જોઈએ. આજે અમે તમને સ્ટ્રોબેરીથી થતા નુકસાન વિશે જણાવી રહ્યા છીએ.

  • વધારે પડતુ ન કરો સ્ટ્રોબેરીનું સેવન 
  • થઈ શકે છે આ ગંભીર બિમારીઓ 
  • જાણી લો તેના નુકસાન વિશે 

ફ્રુટ શોપ પર સ્ટ્રોબેરી જોઈને દરેકને તેને ખાવાની ઈચ્છ થઈ જ જાય છે. સ્ટ્રોબેરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ઘણા લોકો દરરોજ સ્ટ્રોબેરીનું સેવન કરે છે. સ્ટ્રોબેરી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ તેનું સેવન ચોક્કસ માત્રામાં જ કરવું જોઈએ. જો તમે દરરોજ વધારે પ્રમાણમાં સ્ટ્રોબેરી ખાઓ છો તો તેનાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે વધુ સ્ટ્રોબેરી ખાવાથી તમને કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

વધુ પડતા સેવનથી થઈ શકે છે આ સમસ્યાઓ 

  • સ્ટ્રોબેરીમાં હિસ્ટામાઈનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો તમે એલર્જીની સમસ્યાથી પરેશાન છો તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. સ્ટ્રોબેરી વધારે ખાવાથી ખંજવાળ અને ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.
  • સ્ટ્રોબેરીમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે વધુ માત્રામાં સ્ટ્રોબેરી ખાશો તો તમારા શરીરમાં ફાઈબરની માત્રા વધુ રહેશે અને તેનાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો આ ફળ ખાવાનું ટાળો.

  • બજારમાં વેચાતી સ્ટ્રોબેરી જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. તેનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે અને આ જ કારણ છે કે લોકો તેને ખૂબ ખાય છે. કેટલીકવાર તેના પર જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
  • સ્ટ્રોબેરીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે અને જો તમે હૃદયની સમસ્યાથી પરેશાન છો તો તમારે સ્ટ્રોબેરી ખાવાનું ટાળવું જોઈએ. વધુ પડતું પોટેશિયમ હૃદય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે આ વિશે તમારા ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ