જ્યોતિષ વિજ્ઞાનમાં ગ્રહ ગોચરને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. બધા ગ્રહ એક નિર્ધારિત સમય બાદ રાશિ પરિવર્તન કરે છે, જેનો પ્રભાવ બધી રાશિઓ પર પડે છે. આ મહિને શુક્રદેવ પોતાની રાશિમાં ગોચર કરશે.
આ મહિને શુક્રદેવ પોતાની રાશિમાં ગોચર કરશે
રાશિ પરિવર્તનથી અમુક રાશિઓને થશે સૌથી વધુ લાભ
નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાના યોગ
18 ઓક્ટોબરે શુક્ર દેવ તુલા રાશિમાં પ્રવેશ કરશે
જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ પરિવર્તનને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. જેનો સીધો સંબંધ જાતકના જીવન અને તેના ભવિષ્ય પર પડે છે. દરેક રાશિ એક નક્કી કરેલા સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ક્રમમાં 18 ઓક્ટોબરે શુક્ર દેવ તુલા રાશિમાં પ્રવેશ કરવાના છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલા રાશિ તેમની સ્વરાશિ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ રાશિ પરિવર્તનથી બધી રાશિઓ પર નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડવાનો છે.
આ રાશિના જાતકોને થશે સૌથી વધુ લાભ
ધન રાશિ
ધન રાશિના 11મા સ્થાનમાં શુક્ર ગ્રહ પ્રવેશ કરશે. જેનાથી આ રાશિના જાતકોને કારકિર્દી અને વેપારમાં સફળતા થવાના સંકેત મળી રહ્યાં છે. આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે. જે જાતક મીડિયા, ફિલ્મ, અભિનય અથવા ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્ર સાથે સંબંધિત છે તેના માટે પણ આ ગ્રહ ગોચર શુભ સાબિત થવાનો છે. જો તમે શેર માર્કેટ, સટ્ટા અથવા લોટરીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છો તો આ તમારા માટે સિદ્ધ સાબિત થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના બીજા ભાવમાં શુક્ર ગ્રહ પ્રવેશ કરશે. જેનાથી ધન અને વાણીમાં વધારો થશે. આ સાથે આકસ્મિક ધન લાભની સંભાવના વધુ છે. જે લોકોને અત્યારે ઉધાર પૈસા આપ્યાં છે તેમને પણ પોતાના પૈસા પાછા મળી જશે. જે લોકો માર્કેટીંગ, વકીલ અથવા શિક્ષણ વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પણ આ દરમ્યાન સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધુ છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર ગ્રહ દશમા સ્થાનમાં ગોચર કરવાનો છે. જેનાથી તેઓને કાર્ય ક્ષેત્રમાં વધુ સારો નફો થશે. આ સાથે જે લોકો નોકરીની તપાસ કરી રહ્યાં છે, તેમને પણ નવી સંસ્થામાંથી તક મળી શકે છે. આ સાથે નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા ઈન્ક્રીમેન્ટ મળી શકે છે.