માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારે વ્રત પણ કરવામાં આવે છે. જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ નથી, તો શુક્રવારે રાત્રે લક્ષ્મી નારાયણ હ્રદય સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આ પાઠ કરવાથી ધન અને વૈભવમાં વૃદ્ધિ થશે.
માઁ લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે
શુક્રવારે રાત્રે લક્ષ્મી નારાયણ હ્રદય સ્તોત્રના પાઠ કરવા જોઈએ
ધન અને વૈભવમાં વૃદ્ધિ થશે
શુક્રવારે માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે માઁ લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારે વ્રત પણ કરવામાં આવે છે. જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ નથી, તો શુક્રવારે રાત્રે લક્ષ્મી નારાયણ હ્રદય સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આ પાઠ કરવાથી ધન અને વૈભવમાં વૃદ્ધિ થશે, તથા માઁ લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે, ઉપરાંત ભગવાન વિષ્ણુ પણ તમારી પૂજાથી પ્રસન્ન થશે.
શ્રીલક્ષ્મી નારાયણ હ્રદય સ્તોત્ર વિધિ
શ્રીલક્ષ્મી નારાયણ હ્રદય સ્તોત્રના પાઠ કરતા પહેલા સ્નાન કરી લેવું અને ગંગાજળથી પવિત્ર થઈને સ્વચ્છ કપડા ધારણ કરી લેવા. ત્યારપછી એક બાજઠ પર પીળુ અથવા ગુલાબી કપડું પાથરો અને તેના પર માઁ લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. હવે એક કળશમાં જળ ભરીને રાખો.
હવે વિધિપૂર્વક ફૂલ, અક્ષત, ચંદન, કંકુ, ધૂપ, દીવો, ફળ, મિઠાઈ અર્પણ કરીને પૂજા કરો. કેસર ખીરનો ભોગ લગાવો. હવે આસન પર બેસીને માઁ લક્ષ્મી તથા નારાયણનું સાચા મને સ્મરણ કરો અને શ્રીલક્ષ્મી નારાયણ હ્રદય સ્તોત્રના પાઠનો પ્રારંભ કરો. પાઠ સમાપ્ત થયા પછી આરતી કરો. હવે કળશમાં ભરેલ જળ આખા ઘરમાં છાંટી દો. હવે પ્રણામ કરો અને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. દર શુક્રવારે આ પ્રકારે પૂજા કરી શકાય છે.
શ્રીલક્ષ્મી નારાયણ હ્રદય સ્તોત્ર
ॐ अस्य श्री नारायणहृदयस्तोत्रमंत्रस्य भार्गव ऋषिः, अनुष्टुप छन्दः, श्रीलक्ष्मीनारायणो देवता, श्री लक्ष्मीनारायण प्रीत्यर्थ जपे विनियोगः
गोपनात् साधनाल्लोके धन्यो भवति तत्ववित्।
नारायणहृदं नित्यं नारायण नमोस्तुते।।
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)